________________
૧૯૪
સૂત્ર સંવેદના
જાવંતિ, ખમા, જાવંત. નમોડહંત ઉવસગ્ગહરં જયવીયરાય પૂરા કહી
પછી.
૨. પછી ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્મુહપત્તિ - પડિલેહું?” ગુરુ પડિલેહેહ' કહે પછી “ઇચ્છે” કહી મુહપતિનું પડિલેહણ
કરવું. ૩. પછી, ખમાસમણ આપી ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પોસહ પારું ?'
એમ કહી ગુરુ જ્યારે પુણરવિ કાયવો' (આ પૌષધે ફરી પાછો કરવા જેવો છે) કહે ત્યારે ગુરુવચનનો “યથાશક્તિ' (મારી શક્તિ પ્રમાણે ચોક્કસ આ
આચારનું પાલન કરીશ) એમ કહી, સ્વીકાર કરવો. ૪. આમ છતાં પૌષધમાં રહેવાની શક્તિ ન હોય તો એક ખમાસમણ આપી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્પોસહ પાર્યો' એવું ગુરુને જણાવવું અને
જ્યારે ગુરુ કહે “આયારો ન મોરબો' (આ આચાર છોડવા જેવો નથી) ત્યારે ‘તહત્તિ (આપ કહો છો તે સાચું જ છે) એમ કહી ગુરુવચનનો આદર કરવો. ૫. ત્યારપછી ચરવળા ઉપર હથેળી સ્થાપી એક નવકાર બોલી “સાગરચંદો’
કહેવું ૬. પછી સામાયિક પારવાની વિધિ પ્રમાણે સામાયિક પારવું. ૧૪. સંથારવાની વિધિ :
રાત્રિ પૌષધ કરવાવાળા સાધકે પ્રતિક્રમણ પછી એક પહોર સુધી સ્વાધ્યાય કર્યા પછી સંથારવા (સૂવા) પહેલા સંથારા પોરિસી ભણાવવાની હોય છે. તેની વિધિ, ભાવ, હેતુઓ વગેરે સંથારાપોરિસ સૂત્રમાંથી જાણી લેવા.
ત્યાર પછી દંડાસણથી સંથારવાની જગ્યા પૂંજી ઊનનું સંથારિયું પાથરી તેના ઉપર સૂતરનો ઉત્તરપટ્ટો પાથરવો, મુહપત્તિ કેડે ભરાવી કાનમાં રૂ ભરાવવું જેથી કાનમાં કોઈ જીવ-જંતુ પેસી ન જાય અને તેની વિરાધના ન થાય. ત્યારપછી ડાબે પડખે હાથનું ઓશીકું કરીને બની શકે તો અંગ સંકોચીને સંથારવું, અંધારામાં
ક્યાંય પણ ચાલવું હોય તો દંડાસણથી પૂંજીને જ ચાલવું માત્ર ઉજેહીવાળા માર્ગમાં દંડાસણનો ઉપયોગ ન કરવો. ૧૫. પ્રાતઃ ક્રિયા:
સંથાર્યા પછી સવારે બ્રહ્મમુહુર્તમાં નવકારના સ્મરણપૂર્વક જાગવું. હું કોણ છું વગેરે ચિંતવવું માતરાની બાધા ટાળી રાઈ પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ પછી સવારના પડિલેહણની વિધિ પ્રમાણે પડિલેહણ કરી, કાજો લઈ, તેને વોસિરાવી,