Book Title: Sutra Samvedana Part 06
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 205
________________ ૧૯૨ સૂત્ર સંવેદના-૬ પ્રમાજું ?' નો આદેશ માંગી ગુરુ કહે ‘પ્રમાર્જો’ ત્યારે ‘ઈચ્છ’ કહીને ઉપવાસવાળાએ મુહપત્તિ, કટાસણું ને ચરવળો પડિલેહવાં અને વાપર્યું હોય તેણે અને સાંજે પૌષધ લીધો હોય તેમણે કંદોરો, ધોતિયું સહિત પાંચ વાનાં પડિલેહવાં. (બેનોએ પહેલા નીચેના કપડાનું પડિલેહણ કરી નાડું બાંધી ઈરિયાવહી કરી પછી ઉપરના કપડા પડિલેહવા અને પછી ઉપધિ પડિલેહણના આદેશ લેવા) વાપર્યું ન હોય તેવા સાધકે મુહપત્તિ, ચરવલો કટાસણાનું પડિલેહણ કર્યા પછી સીધા ઉપધિ પડિલેહણના આગળના આદેશ માંગવા. ૩. પછી પાંચ વાનાં કરનારે ઈરિયાવહી કરવી અને પછી ખમાસમણ આપી ‘ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી' એવો આદેશ માગી, ગુરુ ‘પડિલેહેહ’ કહે ત્યાંરે વડિલના વસ્ત્રોનું પડિલેહણ કરવું. ૪. પછી ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઉપધિ મુહપત્તિ પડિલેહું ?' એમ કહેવું અને ગુરુ ‘પડિલેહેહ’ કહે ત્યારે ‘ઈચ્છું', કહી મુહપત્તિ પડિલેહીને ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ?' નો આદેશ માંગવો; ગુરુ કહે ‘કરેહ' ત્યારે ઈચ્છું, કહી નવકાર ગણીને મન્નહ જિણાણંની સજ્ઝાય પુરુષોએ ઉભડક પગે બેસીને અને બહેનોએ ઊભા ઊભા કહેવી. ૫. પછી વાપર્યું હોય તો વાંદણાં આપીને, ‘ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી' કહી પાણહારનું પચ્ચક્ખાણ કરવું. તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ લીધું હોય અને પાણી ન પીધું હોય તો આ વખતે ચઉવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ કરવું. જેણે વાપર્યું ન હોય તેણે વાંદણા આપવાના નથી હોતા તેઓએ સાય કરી ‘ઇચ્છકારી ભગવાન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી' કહી સીધું પચ્ચક્ખાણ કરવું. ૬. પછી ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઉપધિ સંદિસાહું ?' કહેવું, ગુરુ જ્યારે ‘સંદિસહ' કહે ત્યારે ‘ઈચ્છું’ કહી ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઉપધિ પડિલેહું ?” કહેવું અને ગુરુ કહે ‘પડિલેહેહ’ ત્યારે ‘ઈચ્છ’ કહી પ્રથમ કામળી પડિલેહવી પછી બાકીના તમામ વસ્ત્રો ઉભડક પગે બેસી પડિલેહવા ત્યાર પછી

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250