SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ સૂત્ર સંવેદના-૬ (૨૫) એકેન્દ્રિય (સચિત્ત વનસ્પતિ, અનાજ, દાણા)નો સંઘટ્ટો થાય તો. (૨૬) દિવસે નિદ્રા લે તો. (૨૭) દીવાની, ઈલેક્ટ્રીક કે વીજળી આદિની ઉજેહિ (પ્રકાશ) લાગે તો. (૨૮) કામળી કાળમાં કાળી ઓડ્યા વગર અગાસી કે ખુલ્લી જગ્યામાં જાય તો. (૨૯) વર્ષાદિકના છાંટા લાગે તો. (૩૦) વાડામાં સ્વડિલ (વડીનીતિ) જાય તો. (૩૧) બેઠા બેઠા પડિક્કમણું કરે તો. (૩૨) બેઠા બેઠા ખમાસમણ દે તો. (૩૩) ઉઘાડે મુખે બોલે તો. અન્ય વિગતો ગુરુગમથી સમજવી. આ ઉપરાંત પૌષધ અને તેમાં લાગતાં અતિચારો સંબંધી વિશેષ જાણકારી માટે સૂત્ર સંવેદના-૪માંથી વંદિતુ સૂત્રની ગાથા-૨૯નું વિવેચન ખાસ વાંચવું. ઉપરોક્ત આલોચના સ્થાનો સંબંધી સાવચેતી રાખવા ઉપરાંત પૌષધ કરનારે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું : • ૧૦૦ ડગલા બહારથી આવીને કે જીંડલ-માનું પરઠવીને આવીને અવશ્ય ઇરિ ગમણા કરવા. • ચાતુર્માસમાં બપોરે કાળવેળાનો કાજો લેવો. મુહપત્તિનો બોલવા સમયે ઉપયોગ રાખવો. • ચાલતાં ચાલતાં વાતો ન કરવી • સૂવામાં સંથારા ઉત્તરપટ્ટાથી વધુ ન વાપરવું. વાપર્યું હોય તો આલોચના લેવી રાત્રે કુંડલ અવશ્ય નાંખવા. નાંખવા ભૂલાઈ જાય અથવા ખોવાઈ જાય તો આલોચના લેવી. • દેવવંદન પ્રતિદિન ચાર કરવા. જિનાલયનું દેવવંદન અલગથી કરવાથી ચારે દેવવંદન થાય. પીવાનું પાણી વસ્તુત: યાચીને જાતે લાવવું લાવતા પૂર્વે માટલા-ગ્લાસ વગેરે તમામનું પડિલેહણ કરવું. શક્યત: પૌષધ દરમ્યાન એક પણ કાર્ય અવિરતિવાળા પાસે ન કરાવવા. પૌષધના અઢાર દોષ (પાના નં. ૧૭૮-૧૭૯ પરથી) અને સામાયિકના બત્રીશ દોષ (સૂત્ર સંવેદના-૧ માંથી) સમજી લેવા.
SR No.005840
Book TitleSutra Samvedana Part 06
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy