________________
૧૮૨
સૂત્ર સંવેદના-૬
ખમાસમણ આપીને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક ઠાઉં?” એવો આદેશ માંગી, ગુરુભગવંત ઠાએહ' કહે ત્યારે ઈચ્છે' કહી તેનો સ્વીકાર કરવો. તે પછી બે હાથ જોડી, નવકાર ગણી ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી' એવું કહી સામાયિકની પ્રતિજ્ઞા કરાવવા ગુરુભગવંતને વિનંતી કરવી. શ્રાવકની વિનંતીનો સ્વીકાર કરી ગુરુભગવંત ‘કરેમિ ભંતે સામાઈએ'નો પાઠ બોલે, (તેમાં “જાવ નિયમ પજ્વાસામિને બદલે ‘જાવ પોસહં પજ્વાસામિ' કહે). પછી ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણું ! સંદિસા ?' એવો આદેશ માંગવો. ગુરુ કહે “સંદિસાવે ત્યારે ઇચ્છે' કહી તેનો સ્વીકાર કરવો. તે પછી ખમાસમણ દઈ ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણું ઠાઉ?' કહી ગુરુ મુખે ‘ઠાએહ' એમ અનુજ્ઞા મળતાં ઈચ્છે' કહી તેનો
સ્વીકાર કરવો. પછી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય સંદિસાહું ?” ગુરુ કહે “સંદિસાહ'; તેનો ઈચ્છે' કહી સ્વીકાર કરવો. આ ક્રિયાના છેલ્લા આદેશરૂપે ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સઝાય કરું કહેવું, તેમાં પણ અનુજ્ઞાનો સૂર પૂરતાં ગુરુભગવંત કરેહ' કહે ત્યારે પૂર્વની જેમ ઈચ્છે' કહી તેનો સ્વીકાર કરવો અને છેલ્લે
માંગલિકરૂપે (અથવા સ્વાધ્યાયના પ્રતિકરૂપે) ત્રણ નવકાર ગણવા. સામાયિક એ સમભાવમાં રહેવાની પ્રતિજ્ઞા છે. આ પ્રતિજ્ઞા કરતાં સાધકે સંકલ્પ કરવો જોઈએ કે, “પૌષધની મર્યાદામાં છું ત્યાં સુધી હવે હું ગમતાઅણગમતા વિષયોમાં રાગ-દ્વેષને આધીન નહિ થાઉ, ક્યાંય પ્રમાદ કરીશ નહિ, માનાદિથી મનને આકુળ-વ્યાકુળ નહિ થવા દઉં, સર્વ પ્રવૃત્તિ આત્મભાવમાં સ્થિર થવાના લક્ષ્યપૂર્વક કરીશ, મન, વચન કે કાયાથી કોઈપણ પાપની પ્રવૃત્તિ નહિ કરું અને ભગવદ્ વચનાનુસાર મારી કાયા, મારું મન અને મારું વચન પ્રવર્તે તે માટે સજાગ અને સાવધાન રહીશ.” ૮. ત્યારપછી રાઈએ પ્રતિક્રમણ ન કર્યું હોય તો કરવું અને કલ્યાણ કંદની
થોય બોલવા પૂર્વક ચાર થોયનું દેવવંદન કર્યા પછી, ચાર ખમાસમણ આપતા પહેલા ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બહુવેલ સંદિસાહુ ?' નો આદેશ માંગવો. ગુરુ સંદિસાહ' કહે ત્યારે ‘ઇચ્છે' કહી તેનો સ્વીકાર કરી, ફરી ખમાસમણ દઈ ઈચ્છાકારણ સંદિસહ ભગવદ્ ! બહુવેલ કરશું એવો આદેશ માંગવો. ગુરુ કરેહ' કહી