________________
૧૫૬
સૂત્ર સંવેદના-૬
મિથ્યાત્વ નબળું પડે છે, ત્યારે જીવને રાગ એક આત્મિક રોગ તરીકે દેખાય છે. મિથ્યાત્વની મંદતા થયા પછી હિંસાની જેમ રાગાદિ સર્વ પાપસ્થાનકો સુખમાં બાધક છે, દુર્ગતિના કારણ છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આથી જ અઢારે પાપસ્થાનકોને ત્યાગ કરવાની ઇચ્છાવાળા સાધકે સૌ પ્રથમ ગુરુને પરતંત્ર બની મિથ્યાત્વનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઈએ.
આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
“અણસમજમાં મારા માનેલા સુખને મેળવવા આજે સુધી આ સર્વ પાપોને મેં મજેથી સેવ્યા છે, અનેક પાસે સેવડાવ્યા છે અને તેની અનુમોદના પટ્ટા કરી છે. પ્રભુકૃપાથી આજે મને આ પાપો પાયરૂપે સમજાયા છે. મેં મારી શક્તિ અનુસાર તેનો ત્યાગ પણ કર્યો છે, તોપણ પ્રમાદને આધીન બની આજે પણ ક્યારેક આ પાપોના સેવન દ્વારા મેં મારા સંયમજીવનને મલિન કર્યું છે. પાપી એવા મારા આ આત્માની હું નિંદા કરું છું, ગર્હા કરું છું અને તે પાપને જડમૂળથી નાશ કરવા યત્ન કરું છું.”
66
૯. આત્માને અનુશાસ્તિ ઃ
પાપ ન ક૨વાનો દૃઢ સંકલ્પ કર્યા પછી હવે સાધક આત્માને શિખામણ આપે છે.
ગાથા :
एगोऽहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सइ । एवं अदीणमणसो, अप्पाणमणुसासइ ।। ११ ।। છ્યો ને સાલો અપ્પા, નાળ-વંસ-સંનુો । સેસા મે વાદિરા માવા, સત્વે સંનોન-વવા ।।।।
અન્વય સહિત સંસ્કૃત છાયા :
एकः अहम् न अस्ति मे कः अपि न अहम् अन्यस्य कस्यचित् । : મે શાશ્વતઃ આત્મા, જ્ઞાન-વર્ણન-સંયુત:।
शेषाः मे बाह्याः भावाः, सर्वे संयोग- लक्षणा
''
વમ્ અવીનમના:, આત્માનમ્ અનુશાસ્તિ ।।૧ - ૨૨।।