________________
સંથારા પોરિસી સૂત્ર
જ યાવજ્જીવ24 માટે મારા ગુરુ છે.
વળી શ્રી જિનેશ્વ૨ પ૨માત્માએ જે કહ્યું છે તે જ તત્ત્વ છે. તે જ યથાર્થ છે. તે જ મારા સુખનું કારણ છે. તે જ મારા કલ્યાણનો ઉપાય છે, માટે શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા માર્ગને જ હું ધર્મ તરીકે સ્વીકારું છું.
આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
-
૧૨. ક્ષમાપના :
24
“ આજ સુઘી મિથ્યાત્વને આધીન થઈ સાંસારિક સુખ આપનારા અને ચમત્કાર બતાવનારા રાગી દેવને મેં દેવ તરીકે સ્વીકાર્યા હતા, ક્યારેક વીતરાગને નામથી દેવ માન્યા તોપા તેમને ભૌતિક સુખની કામનાથી પૂજ્યા. આમ કરી મેં મારા ભવભ્રમણાને વધાર્યુ છે. હવે હે અરિહંત પ્રભુ ! હું આપને જ મારા દેવ તરીકે સ્વીકારું છું.
-
કુગુરુને પનારે પડી આજ સુધી હું સુખની પ્રાપ્તિ માટે સન્માર્ગને છોડી ઉન્માર્ગે ચાલ્યો છું, પરંતુ આજથી જીવન પર્યંત સદ્ગુઢ ભગવંતો ! હું આપને જ ગુરુ તરીકે સ્વીકારું છું.
સુદેવ-સુગુરુનો સ્વીકાર કરી હું મિથ્યામતનો પણ ત્યાગ કરું છું અને શ્રી જિનેશ્ર્વર પરમાત્માએ પ્રરૂપેલા તત્ત્વનો ધર્મ તરીકે સ્વીકાર કરું છું. હે ભગવંત ! આ રીતે મેં સમ્યક્ત્વનો સ્વીકાર કર્યો છે. આજે હું પુન: એકવાર તેના અણ્ણીશુદ્ધ પાલન માટે કટિબદ્ધ બનું છું. હે પ્રભુ ! તે માટેનું સત્ત્વ પ્રદાન કરવા કૃપા કરો.”
૧૬૩
અવતરણિકા :
હવે સર્વ જીવો સાથે જાણતા કે અજાણતા જે વેરના અનુબંધ પડ્યા હોય તેને તોડવા માટે સાધક ક્ષમાપના કરે છે.
ગાથા ઃ
खमि खमाविअ मइ, खमह सव्वह जीवनिकाय ।
सिद्धह साख आलोयण, मुज्झह न वइरभाव । । १५ ।।
આમ તો છેક મોક્ષે ન પહોંચાય ત્યાં સુધી આ પરિણામ જીવંત રાખવાનો છે છતાં આયુષ્ય
પૂર્ણ થતાં વ્રતભંગ ન થાય તે માટે જ યાવજ્જીવ સુધીની જ પ્રતિજ્ઞા કરાય છે.