________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસાના પ્રભુપ્રેમને દુનિયા તો પછી જાણી શકી, પરંતુ દેવલોકના દેવેન્દ્ર જાણી ગયા! તેમણે દેવસભામાં સુલસાની પ્રશંસા કરી. ઇન્દ્રના મુખે સુલસાની પ્રશંસા સાંભળી, ઇન્દ્રનો સેનાપતિ હરિણગમૈષી દેવ તુલસાની પરીક્ષા કરવા, મનુષ્ય શરીર બનાવી દેવલોકમાંથી રવાના થયો. સુલતાએ દિવ્ય પ્રેરણા મુજબ
વિશેષ પ્રકારે જિનપૂજા કરવા માંડી. * ગુરુજનોને સુપાત્ર દાન આપવા માંડ્યું.
ચતુર્વિધ સંઘની ભક્તિ કરવા માંડી. આ ભૂમિશયન કરવા માંડ્યું. ક બ્રહ્મચર્યનું પાલન કરવા માંડ્યું, અને જ આયંબિલનું તપ સમતાભાવે કરવા માંડયું. સુલસી યુવતી હતી. ભરયૌવનમાં હતી. એનામાં ધર્મની સાથોસાથ સામર્થ્ય હતું. નિર્ભયતા હતી, ઔદાર્ય હતું, સ્વાભિમાન હતું ને મહત્ત્વાકાંક્ષા હતી. સામર્થ્ય જ યુવાની છે! શક્તિશાળી યુવાવ્યક્તિ પોતાનું અને બીજાનું કામ સિદ્ધ કરી શકે. મહત્ત્વાકાંક્ષા તો યુવાનીનો સ્થાયીભાવ છે. ‘હું પુત્રવતી થઈશ! પરિસ્થિતિ પર પગ મૂકીને પરિસ્થિતિને ઝુકાવીશ.' તેણે દૃઢતાપૂર્વક ધર્મ-આરાધના શરૂ કરી.
થોડા જ સમયમાં હરિણગમૈષી દવે, રાજગૃહી પાસે આવી સાધુનું રૂપ કર્યું, અને નાગ સારથિની સમૃદ્ધિશાળી હવેલીના દરવાજા પાસે આવ્યા.
નાગ સારથિની હવેલી એક મહેલથી કમ ન હતી. કલાત્મક વિશાળ દ્વાર પર ચિત્ર-વિચિત્ર તોરણ બાંધેલાં હતાં. દ્વાર પર રક્ષકો ઊભા હતા. સંધ્યાનો ભ્રમ પેદા કરે તેવા સુંદર ચંદરવા બાંધેલા હતાં. ધૂપદાનીઓમાંથી ધૂમ્રસેરો નીકળતી હતી અને આંગણાને સુગંધિત બનાવતી હતી. આંગણું કસ્તૂરીના લીંપણથી લિંપાયેલું હતું. મોતીના સાથિયા પુરાયેલા હતા, પીંપળનાં પાનની માલાઓ બાંધેલી હતી. માંગલિક તોરણ બાંધેલા હતાં. નૃત્ય કરતી પૂતળીઓ અને સુગંધી જલના ફુવારાથી હવેલીનો અગ્રભાગ સુંદર હતો. મુનિનું રૂપ કરી, હરિણગમૈષી દેવે આંગણામાં પ્રવેશ કર્યો.
અચાનક પોતાની હવેલીના આંગણામાં આવીને ઊભેલા તેજસ્વી મુનિને જોઈને સુલસા વિસ્મય પામી. હર્ષથી રોમાંચિત થઈ ગઈ. તેના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. પોતાની જાતને કૃતાર્થ માનતી સુલતાએ મુનિરાજ
૧૪
સુલાસા
For Private And Personal Use Only