Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 18
________________ 'અપકાયની રક્ષા કરો નં જે પાણીનો ઉપયોગ ઓછામાં ઓછો કરો, પાણી ઘીની જેમ વાપરો. પાણી ગાળીને જ વાપરો. ૩. નળ ખુલ્લો વહેતો ન રાખો. દાઢી કરવા, દાંતણ કરવા, સ્નાન કરવા, હાથ-મોં ધોવા, કપડા ધોવા, વાસણ માંજવા કે અન્ય કોઈપણ કાર્ય માટે . જરૂર પૂરતું પાણી એક ગ્લાસ, ટબ કે બાલદીમાં લઈને જ તે કાર્ય પતાવો. આ બધી પ્રવૃત્તિ નળ ખુલ્લો રાખીને ન કરો. વારંવાર ન્હાવાની અને વારંવાર હાથ-મોં ધોવાની ટેવ છોડો. પાણી ન ઢોળાય તેની કાળજી રાખો. છે. પાણીના વાસણ ખુલ્લા ન રાખો. ૮. પાણીના નળ લીક ન થતા હોય તેનું ધ્યાન રાખો. નળ બને તેટલા ઓછા રાખો. ઘર બંધ કરીને બહાર જતા પૂર્વે ચકાસી લો કે કોઈ નળ ખુલ્લો તો રહી ગયો નથી ને ૧૦. ઠંડુ અને ગરમ પાણી ભેગું ન કરો. ૧૧. શક્ય બને તેટલો સાબુનો ઉપયોગ ટાળો. ૧૨. વરસાદમાં જાણી જોઈનું પલળવું નહિં. ૧૩. પાણીના કુષ્મા ભરીને ફોડવા નહિ. હોળી-ધુળેટીમાં પણ પાણીનો રંગ વગેરે સાથે મિશ્રણ કરવાથી ઘણાં જીવો મરે છે.. ૧૪. વરસાદમાં પાણી ભરાઈ ગયા હોય તેમાં ચાલવું અનિવાર્ય જ હોય તો પગ ઘસડીને ન ચાલવું પણ દરેક પગલે પગ ઉંચો કરી પછી મૂકવો. ૧૫. અમુકાય જીવોની રક્ષા માટે ત્રણ ઊભરા લાવી ગરમ કરેલ પાણી પીવાનો આગ્રહ રાખો. (૧૧)

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80