Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 42
________________ ૩૪. લાઈટથી જીવાત ઘણી થાય છે. તેથી શક્ય તેટલો લાઈટનો ઉપયોગ ટાળો. સાંજે લાઈટ કરતા પૂર્વે બારી બારણાં બંધ કરો. ૩૫. પાણી વાપર્યા પછી ગ્લાસ લૂછીને જ મુકો. ગ્લાસ ઉંધો ન મૂકવો. ૩૬. ચોમાસામાં મુસાફરી શક્ય હોય ત્યાં સુધી ટાળો. ૩૦. વાસી ભોજન રાખો નહિ, વાસી ભોજન જમો નહિ. ૩૮. મિઠાઈ, ખાખરા, ફરસાણ, લોટ વગેરેનો કાળ વીતી ન જાય તેની કાળજી રાખવી. ૩૯. બહારના મિઠાઈ-ફરસાણ, તૈયાર લોટ વગેરે વાપરવા નહિં. ૪૦. હોટલની વાનગીઓ અભક્ષ્ય અને જયણારહિત બનાવેલી હોય છે. હોટલમાં જમવું નહિ. ૪૧. બહારની તૈયાર વાનગીઓ ઈન્ટટન્ટ ફૂડ - આઈસક્રીમ - ઠંડાપીણાં વગેરેનો ત્યાગ કરો. ૪૨. બે રાત ઉલ્લંઘી ગયેલા દહીં-છાશ વાપરવા નહિં. દહીં-છાશમાં બનાવેલા થેપલાં-ટેબરાં વધુમાં વધુ બીજા દિવસે જ ખપે. ૪૩. લગ્નાદિ પ્રસંગોના કે ધાર્મિક પ્રસંગોના જમણવારો રસોડા કેટરર્સને સોંપાય છે, તેમાં બિલકુલ જયણા તથા ભક્ષ્યાભઢ્યનો વિવેક સચવાતો નથી. આવા જમણવારો કેટરર્સને ન સોંપો. જાતે દેખરેખ રાખી પૂરેપૂરી જયણા સાચવો. તેમાં રાત્રીભોજન ન થાય તેની ખાસ તકેદારી રાખો. (૩૫)

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80