Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 588
________________ 1755 ૩૯ આશા પ્રેમ અને શાસનની વફાદારી -116 –– ૫૭ શરીરની સેવામાં રચ્યાપચ્યા રહેનારને ચોવીસે કલાક શરીરની સેવાનો ત્યાગી બનાવવો એ કાંઈ જેવી તેવી વાત નથી. એક લાખ બાણું હજાર અંતઃપુરીના માલિક એવા ચક્રવર્તી પાસે ક્ષણમાત્રમાં ત્યાગ કરાવનાર કીમિયાગરના જ આપણે સેવક છીએ. આપણે જો સંસારની પાછળ ઘેલા બનીએ તો આપણા જેવા કર્મફૂટેલા કોઈ નહિ. શાસનને મારું મનાય તો મૌન ન રહેઃ શાસનને મારું મનાય તો એના નાશના પ્રયત્નો સામે રાખ્યું પણ મૌન ન રહે, તો સ્વયં તો શાનું રહે ? ન જ રહે. આજ્ઞાભંગ કરનારા એમનાં વ્રતો લોપે છે અને એવાના સહાયકો પણ પોતાનાં વ્રતો લોપે છે. એકલા રહેવું પડે એની ફિકર નહિ. પણ આજ્ઞાભ્રષ્ટોના ટોળામાં ન રહેવાય. રાણો પ્રતાપ એકલો રહ્યો, બધું દુઃખ સહ્યું પણ એણે પોતાનો ધર્મ ન છોડ્યો. એ સારો કહેવાય છે કે ખોટો ? આપણે તો શ્રી જિનેશ્વરદેવના સેવક કહેવાઈએ છીએ. છતાં એવી રીતે એકલા રહેવાની હામ ન બતાવી શકીએ ? આવ્યા એકલા, જવાના એકલા, તો બેકલાનો મોહ શા માટે ? એવા કુસંગમાં રહેવું શા માટે ? - શ્રીસંઘમાં આચાર્યો એ મુખ્ય છે. હવે એ આચાર્યની શી ફરજો છે તે જોવાની છે, જે હવે પછી.

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630