Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 597
________________ ૫૭૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ : 'નિગોદમાંથી બહાર આવી અર્થી બન્યા એવા કેટલાય આત્માઓ તરી ગયા. અભવિ જેવા વગર શ્રદ્ધાએ પણ ચારિત્ર પાળવાથી નવ રૈવેયકની સાહ્યબી ભોગવી શકે છે. પણ એ સાચા અધિકારી નથી, કારણ કે એમનામાં સાચું અર્થીપણું હોતું નથી. એ જે ધર્મ કરે છે તે ધર્મના અર્થીપણાથી કે ધર્મના પ્રેમથી નહિ, પણ માત્ર પોતાના ભૌતિક સ્વાર્થ માટે. સાચું અર્થીપણું એ તો મોટો અધિકાર છે. અર્થીપણાથી તો ઠોઠ પણ વિદ્વાન બને છે અને અર્થીપણા વિનાના બુદ્ધિવાળા પણ બેવકૂફ રહે છે. શ્રીમંતના છોકરાઓ બુદ્ધિ વગરના હોય છે એમ ન માનતા પણ છતી બુદ્ધિએ પૈસાના મદમાં એ ભણતા નથી. ભણવાની એમને ગરજ જ નથી. સામાન્યના છોકરાઓને કહેવાય કે “ભણીશ નહિ તો ખાઈશ શું?” આજીજી કરીને એમને સ્કૂલમાં દાખલ થવું પડે, કાળજીપૂર્વક ભણવું પડે અને શિક્ષકની સેવા એ બરાબર કરે. કેમ કે એને ગરજ છે અર્થાત્ અર્થપણું છે. શેઠિયાના છોકરાઓને ભણાવવા માસ્તર ઘરે આવે પણ એ માસ્તરનેય કહી રાખ્યું હોય કે, “એને કાંઈ કહેશો નહિ'. માસ્તર ઘરે આવે. પણ મહિને ' પગારનો અર્થ એટલે એ પણ કલાક પૂરો કરી જાય. બાકી લાંબી લપ્પનછપ્પનમાં ન પડે. અર્થીપણું એ તો મોટી યોગ્યતા છે: અર્થીપણું એ તો બહુ મોટી યોગ્યતા છે. ધર્મ લેવા આવનારમાં બીજી ખામી હોય, બીજી યોગ્યતા ઓછી હોય એ બને પણ અર્થીપણું બરાબર હોય તો એનો બેડો પાર થઈ જાય. મુનિને જ્ઞાનાવરણીયના યોગે ગોખતાં છતાં ન આવડે એ બને. પણ જો એનું અર્થીપણું જાંગતું હોય તો એને સીધું કેવળજ્ઞાન થઈ જાય. મા રુષ મા તુષ” એ બે પદ બાર-બાર વર્ષ સુધી ગોખવા છતાં મુનિને ન આવડ્યાં, પણ ગોખવું ન છોડ્યું. આપણે આ રીતે ગોખીએ ખરા ? આટલું ગોખતા છતાં ન આવડતું ત્યારે ગુરુને પૂછતા કે, “કેમ નથી આવડતું ?' ગુરુ કારણમાં અંતરાય જણાવે છે. એ અંતરાય તોડવા માટે તપ કરવાનું અને ફરી ફરીને ઉદ્ઘોષણાપૂર્વક એ પદો ગોખવાનું કહ્યું. બાર વર્ષ સુધી અખંડ આયંબિલ કરી એ મુનિએ જરા પણ ગ્લાન થયા વિના એ પદો ગોખ્યાં. બીજા મુનિઓ મશ્કરી કરતા તો પણ એની પરવા ન કરી. પોતાના દુર્ભાગ્યની નિંદા કરતાં કરતાં ગોખવાનું ચાલું રાખ્યું તો પરિણામ એ આવ્યું કે એ પદો તો ન આવડ્યાં, પણ એવાં અબજો પદો બનાવવાની શક્તિવાળું લોકાલોક પ્રકાશક એવું કેવળજ્ઞાન પામી ગયા. પૂર્વના અંતરાયથી જ્ઞાન ન પણ ચડે. પણ જ્ઞાન જેને ન ચડે એને અનધિકારી કહેનારા પોતે જ ખરેખર અનધિકારી છે.

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630