Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 599
________________ પ૭૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1766 લાખો સુભટો સામે ઝઝૂમવું સહેલું પણ મુનિપણું પાળવું કઠિનઃ કૃષ્ણ મહારાજા ત્રણ ખંડના માલિક હતા. એમના જેટલું કાયાનું બળ ભગવાનના એક પણ મુનિમાં ન હતું. કૃષ્ણ તો લાખો સુભટો સામે એકલા પડે ઝઝૂમી શકતા હતા. જ્યારે મુનિઓમાં એટલું બળ ન હતું. પણ મારા જેવું કૌવત આ એકમાં નથી, છતાં હું દીક્ષા નથી લેતો અને આ બધાને ક્યાં મૂંડી નાખ્યાં!! એવું ભગવાન શ્રી નેમિનાથ સ્વામીને એમણે ન કહ્યું. કૃષ્ણજી તો ઉપરથી એમ કહેતા કે લાખો સુભટો સામે ઝઝૂમવું સહેલું છે. પણ મુનિપણું પાળવું કઠિન છે. મુનિપણું લેવું એટલે કાંઈ લડાઈ કરવાની છે ? મુનિપણાનો અર્થ મારામારી કરવી કે પુસ્તકનાં પાનાં વાંચી જવાં એ નથી. પણ હિંસાદિ પાપથી કંપવું, હિંસાથી ભરપૂર સંસારનો ત્રાસ એ જ મુનિપણું છે. ભગવાને જેને જેને ખરાબ કહ્યું તે ન જ કરાય એમ મુનિ માને. ભગવાન જેમાં પાપ કહે એ ન જ થાય એમ માનનારને “શાસ્ત્ર ભણ્યા છો ? પાપ શા માટે ?” એવું પૂછીને ઊભાં રહેનારાને ધર્મ માટે નાલાયક કહ્યા છે. મહાપુરુષ જેમાં પાપ કહે ત્યાં વળી પ્રશ્ન હોય? “કેવી રીતે પાપ ! કેવું પાપ !” એ સમજવા પુછાય એ વાત.જુદી પણ પાપ કેમ ?” એવું ડહાપણ ડહોળે તે કદી ધર્મ ન પામે. ધર્મીનું સાચું સ્વરૂપ છે કે માનો કે અમુકમાં પોતાને પાપ નથી દેખાતું. પણ જ્ઞાની એમાં પાપ કહે તો પાપ માનીને ત્યાં અટકે. દોરડું પડ્યું હોય, રાત અંધારી હોય અને એ જોઈને સાપની ભ્રાંતિ થાય તો ત્યાં અટકી જાઓ કે ખાતરી કરવા માટે એને હાથમાં લો ? જે એવું કરવા જાય તે બેવકૂફમાં ખપે અને કદી પ્રાણ પણ ગુમાવે. દોરડું હોય તો ન મરે. પણ સાપ હોય તો મરે ને?નદીમાં અમુક ભાગમાં જવાથી ડૂબી મરાય છે એવું જાણ્યા પછી ડાહ્યો માણસ તે તરફ ન જાય; કેમ કે ત્યાં કાદવ એવો હોય કે એમાં ખૂંચ્યા પછી એને બચાવવાની તાકાત કોઈની નથી. તમારી અમારી દષ્ટિના મેળ નહિ મળવાના: શ્રી જિનેશ્વરદેવ સાચા” એમ કહેવું, પોતાને એમના ભક્ત કહેવરાવવું અને “જિનપૂજા શા માટે ?' એમ કહીને ઊભા રહેવું એ તો જૈનત્વનો અભાવ સૂચવે છે. “જિનપૂજા કઈ રીતે થાય ?' એ પુછાય પણ “શા માટે ?' એમ પુછાય? “ગુરુમાં શું વધારે છે કે એમને વાંદીએ ? ધર્મ સાંભળવાની જરૂર શી ? અમને વાંચતાં આવડે છે. ઘેર પુસ્તકો વાંચીએ છીએ. પછી ઉપાશ્રયે જવાની જરૂર શી?' આવા આવા પ્રશ્નો કરનારા માટે શાસ્ત્ર કહે છે કે તેઓ ધર્મ માટે લાયક નથી. જિનપૂજન, વ્યાખ્યાનશ્રવણ, ગુરુવંદન વગેરેના હેતુઓ, વિધિ વગેરે જરૂર પુછાય પણ “એની જરૂર શી ?' એવું ના પુછાય. રમતિયાળ

Loading...

Page Navigation
1 ... 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630