________________
માને છે. પ્રત્યેક વ્યક્તિ અથવા જીવ પિતાને સંપૂy વિકાસ સાધી શકે છે, પોતાનામાં રાગ-દ્વેષ-વિહીનતા અથવા વીતરાગતાને સર્વોચ્ચ વિકાસ સાધી એ પરમ–પદને પામી શકે છે. એ પિતે જ પિતાને નિયામક અને સંચાલક છે પિતે જ પોતાને મિત્ર અને પોતે જ પોતાને શત્રુ છે.
જૈન ધર્મ આ જ પરંપરામાને સ્વતંત્ર વૈજ્ઞાનિક ધર્મ છે. આ જૈન પરંપરા ટુંકામાં “શ્રમણ સંસ્કૃતિ' ને નામે ઓળખાય છે. આ આધ્યાત્મિક પરંપરામાં બોદ્ધ વગેરે ધર્મો પણ આવે છે. જ્યારે ઈશ્વરવાદી ભારતીય પરંપરા “બ્રાહ્મણ સંસ્કૃતિ ને નામે ઓળખાય છે પ્રાચીનતા :
કઈ પણ ધર્મ પ્રાચીન કે અર્વાચીન હેવા માત્રથી તે શ્રેષ્ઠ છે એમ સાબિત નથી થતું, પણ જે કઈ ધાર્મિક પરપરા પુરાણું હોય અને દીર્ઘ કાળ સુધી તે સજીવ, સક્રિય અને પ્રગતિશીલ રહી હોય તથા લેકોન્નતિમાં, નેતિક વિકાસ અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં, પ્રબળ, પ્રેરક, તથા, સહાયક નીવડી હોય તે એનો અર્થ એમ કરી શકાય કે એ ધર્મમાં ટકાઉ, સાર્વકાલિક અને સાર્વભૌમિક ત રહેલાં છે.
જૈન ધર્મ આચાર અને વિચાર અને દ્રષ્ટિએ બહુ પુરાણે ધર્મ છે. ઈતિહાસકારોએ હવે એ વાત માની લીધી છે કે તીર્થકર મહાવીર જૈન ધર્મના મૂળ સંસ્થાપક નહેતા. એમના પહેલાં બીજા પણ તીર્થકર થઈ ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org