Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 200
________________ ઉપસંપદા સામાચારી / ગાથાઃ ૮૯ ૪૬૧ આશય એ છે કે, જે સાધુ સંયમથી મોટા હોય તે ઘણી નિર્જરા કરે તેવો નિયમ નથી અથવા તો વયથી મોટી ઉંમરના હોય તે ઘણી નિર્જરા કરે તેવો નિયમ નથી, પરંતુ વંદનની વિચારણામાં જે સાધુ પોતાનાથી વધારે નિર્જરા કરતા હોય તે પોતાને વંદનીય છે; કેમ કે જેનામાં પોતાનાથી અધિક ગુણ હોય તે નિર્જરારૂપ કાર્ય પોતાનાથી અધિક કરી શકે છે, તેથી વંદન કરનારને તે ગુણના બહુમાનને કારણે નિર્જરા થાય છે. તેથી નિશ્ચયનય કહે છે કે, વતપર્યાયથી નાના હોય તો પણ ઘણા ગુણયુક્ત હોય તે ઘણી નિર્જરા કરે છે, માટે જીવમાં વર્તતું ગુણાધિક્ય વંદનવ્યવહાર માટે ઉપયોગી છે. વળી નિશ્ચયનય પોતાની વાતના સમર્થન માટે કહે છે કે, કોઈ સાધુ પર્યાયથી કે વયથી અધિક હોય તોપણ સમિતિ-ગુપ્તિના વિશિષ્ટ ઉપયોગવાળા ન હોય તો મોક્ષના કારણભૂત એવી વિશેષ નિર્જરા પ્રાપ્ત કરતા નથી, પરંતુ પર્યાયથી મોટા હોય કે પર્યાયથી નાના હોય, અથવા વયથી મોટા હોય કે વયથી નાના હોય, પરંતુ સમિતિ-ગુપ્તિનો વિશિષ્ટ ઉપયોગ જેમનામાં અધિક હોય તેવા સાધુ મોક્ષના કારણભૂત નિર્જરાવિશેષને પ્રાપ્ત કરે છે. માટે તે સાધુમાં રહેલા મોક્ષના કારણભૂત એવા ગુણવિશેષ વંદનવ્યવહારના પ્રયોજક છે. માટે જે ગુણથી અધિક હોય તે વંદનીય અને જે ગુણથી હીન હોય તે અવંદનીય એ પ્રકારે નિશ્ચયનય કહે છે. વ્યવહારનય કહે છે કે, પર્યાય અને વય વંદનવ્યવહારમાં પ્રમાણ છે. પોતાની વાતને પુષ્ટ કરવા માટે વ્યવહારનય યુક્તિ આપે છે કે – જોકે વંદનને માટે ઉપયોગી અન્ય સાધુમાં રહેલ ગુણવિશેષ છે, તોપણ કઈ વ્યક્તિમાં કયો ગુણ વિશેષ છે, તેનો નિર્ણય કરવાનો ઉપાય તે સાધુના આલય-વિહારાદિની વિશુદ્ધિથી યુક્ત એવા સંયમનો પર્યાયવિશેષ કારણ છે. તેથી જે સાધુમાં આલય-વિહારાદિની વિશુદ્ધિથી યુક્ત દીર્ઘ સંયમપર્યાય હોય તેમાં ગુણવિશેષ ઘણા છે, તેમ વ્યવહારનય માને છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી જે સાધુ આલયરૂપ નિર્દોષ વસતિમાં યત્ન કરે છે, ભગવાનની આજ્ઞાનુસાર નવકલ્પી વિહાર કરે છે, ઈત્યાદિ વિશુદ્ધિ જેનામાં વર્તતી હોય અને દીર્ઘ સંયમનો પર્યાય હોય, તેમાં દીર્ઘકાળ સુધી આલય-વિહારાદિની વિશુદ્ધિને કારણે ઘણા ગુણો છે, તે બહુલતાએ નક્કી થાય છે. જ્યારે જે સાધુએ પાછળથી દીક્ષા ગ્રહણ કરેલ છે, આલય-વિહારાદિની પણ શુદ્ધિવાળા છે, છતાં આલયવિહારાદિની વિશુદ્ધિનું સેવન અલ્પકાળ કરેલું હોવાથી પ્રાયઃ કરીને તેનામાં ગુણો ઓછા છે, આ પ્રકારે વ્યવહારનય માને છે; કેમ કે મોટા ભાગના જીવો જેમ જેમ સંયમપર્યાય દીર્ઘ પાળે છે, તેમ તેમ ગુણથી અધિક થાય છે, અને જેનો સંયમ પર્યાય નાનો છે, તેને સંયમની આચરણા અલ્પકાળ થયેલી છે, માટે તેનામાં પ્રાયઃ કરીને ગુણ ઓછા છે, તેમ વ્યવહારનય માને છે અને તેમાં વ્યવહારનય યુક્તિ આપે છે કે, ગુણવિશેષનું રાસે બે વરો ઝીણો ઈત્યાદિ ન્યાયથી ગૌણપણું હોવાના કારણે પર્યાય પ્રધાન છે. તાત્પર્ય એ છે કે, સંયમનો પર્યાયવિશેષ ગુણવિશેષના પ્રતિસંધાનનો ઉપાય છે; કેમ કે બહુલતાએ સંયમના પર્યાયવિશેષથી ગુણવિશેષની પ્રાપ્તિ સંભવે છે. આથી ગુણવિશેષ પર્યાયવિશેષને આધીન છે. માટે ગુણવિશેષથી પ્રાપ્ત જે નિર્જરાવિશેષ તે પર્યાયવિશેષથી પ્રાપ્ત છે, એમ કહેવાય. જેમ “મારા દાસે જે ગધેડો ખરીદ્યો તે ગધેડો મારો છે', આથી દાસથી ગધેડો ખરીદાયેલ હોવા છતાં જેમ દાસ ત્યાં ગૌણ છે, અને દાસનો માલિક મુખ્ય છે, તેથી તે માલિકનો ગધેડો કહેવાય છે; તેમ ગુણવિશેષથી પ્રાપ્ત નિર્જરા હોવા છતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274