Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 212
________________ ૪૭૩ ઉપસંપદા સામાચારી ગાથા : ૯૧ જ વ્યવદરાડપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે, વ્યવહારનો અવકાશ ન હોય તો નિશ્ચયનો અનવકાશ છે, પરંતુ વ્યવહારનો અવકાશ હોવા છતાં પણ નિશ્ચયનયનો અનવકાશ છે. ભાવાર્થ : નનુ' થી શંકા કરનારનો આશય એ છે કે, ગુણની આરાધનાથી જીવમાં ગુણ પ્રગટે છે અને નિશ્ચયનય વંદ્ય તરીકે ગુણને પ્રધાન કરે છે, માટે ગુણના આરાધનના અર્થી જીવે વંદ્યગત ગુણને પ્રધાન કરીને આરાધના કરવી જોઈએ. તેથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થમાં વર્તતા ક્ષાયિક સમ્યગ્દર્શન ગુણની આરાધના અર્થે સાધુ વંદન કરે તો નિશ્ચયનયથી આરાધના થાય છે, અને ત્યારે વ્યવહારનયની વિરાધના થાય તે અકિંચિત્કર છે; કેમ કે ગુણનો અર્થી જીવ ગુણને જોઈને તે ગુણવાનની ભક્તિ કરે તે ઉચિત છે. એ પ્રકારની શંકાકારની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે કે, “વ્યવહારનય પણ બલવાન છે'; કેમ કે સ્વસ્થાનમાં વ્યવહારનયનો નિશ્ચયનય દ્વારા પ્રતિક્ષેપ થઈ શકે નહીં. આશય એ છે કે, જેમ મોક્ષે જવા માટે સ્વસ્થાનમાં નિશ્ચયનય અત્યંત ઉપકારક છે, તેમ સ્વસ્થાનમાં વ્યવહારનય પણ ઉપકારક છે. આથી દીક્ષાની યોગ્યતાનો ગુણ જેનામાં પ્રગટ્યો છે તેવો જીવ, માત્ર ભાવ કરતો નથી, પરંતુ વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરે છે; કેમ કે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરવાથી જીવના ભાવનો ઉત્કર્ષ થાય છે, અને આ વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરવી તે વ્યવહારનયનું સ્થાન છે; અને દીક્ષા ગ્રહણ કર્યા પછી વિવેકી સાધુ માત્ર ક્રિયામાં સંતોષ માનતા નથી, પરંતુ માને છે કે મોક્ષ પરિણામથી છે માટે દીક્ષા ગ્રહણ કર્યા પછી હંમેશાં પરિણામને પ્રધાન કરીને, તેને અનુરૂપ ક્રિયામાં યત્ન કરે છે. તેથી જેમ દીક્ષાની યોગ્યતા પ્રગટ્યા પછી વ્યવહારનયને પ્રધાન કરીને દીક્ષા ગ્રહણ માટે યત્ન કરવો ઉચિત છે, તેમ દીક્ષા ગ્રહણ કર્યા પછી નિશ્ચયનયને પ્રધાન કરીને પરિણામની વૃદ્ધિ થાય તે રીતે વ્યવહારમાં યત્ન કરવો ઉચિત છે. આ કથન પંચવસ્તુ' ગ્રંથ અનુસાર છે. આ રીતે જેમ નિશ્ચયનયના સ્થાનમાં નિશ્ચયનય બળવાન છે, તેમ વ્યવહારનયના સ્થાનમાં વ્યવહારનય પણ બળવાન છે. તેમ પ્રસ્તુતમાં પણ સાધુવેષમાં રહીને ગૃહસ્થને વંદન કરે તે અત્યંત લોકવિરુદ્ધ કૃત્ય છે, અને તેવું લોકવિરુદ્ધ કૃત્ય જોઈને, આ ભગવાનનું શાસન આપ્ત પુરુષથી પ્રણીત નથી, તેવી વિચારકને બુદ્ધિ થાય, માટે તેવા સ્થાનમાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થના ક્ષાયિક સમ્યગ્દર્શન ગુણને જોઈને ગુણના પક્ષપાતી એવા સાધુને તેના પ્રત્યે આદરનો અતિશય થાય તે સંભવે, તોપણ ઉચિત વ્યવહારનો નાશ કરીને વંદનમાં પ્રવૃત્તિ કરે નહીં; કેમ કે તેમ કરવાથી વ્યવહારનયની વિરાધના થાય છે. માટે વ્યવહારનયના સ્થાનમાં નિશ્ચયનયનું અવલંબન લઈને વ્યવહારનયનો પ્રતિક્ષેપ થઈ શકે નહીં. જેમ દીક્ષા ગ્રહણની યોગ્યતા પ્રગટી હોય તેવો જીવ દીક્ષા સ્વીકારે નહિ, પરંતુ નિશ્ચયનયનું અવલંબન લઈને ભાવમાં યત્ન કરવાનો વિચાર કરે, તો તેવા પ્રકારના પરિણામનો ઉત્કર્ષ ન થાય; જ્યારે તે જીવ વ્યવહારનયનું અવલંબન લઈને વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ આદિ પ્રવૃત્તિ કરે, તો વિધિસેવનના બળથી તેને સર્વવિરતિ સંયમના કંડકોની પ્રાપ્તિ થાય. માટે વ્યવહારનયના સ્થાનમાં વ્યવહારનયનું અવલંબન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274