Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૯
૫૦૭ ભાવાર્થ :
અધ્યાત્મધ્યાનરત સાધુ સામાચારીનું પાલન કરે છે. તેનાથી=સામાચારીના પાલનથી પ્રયોજ્ય શુક્લધ્યાન છે. તે શુક્લધ્યાનનો અતિશય ક્ષપકશ્રેણીમાં આવે છે. તે શુક્લધ્યાનનો અતિશય પણ વિશેષ પ્રકારના અધ્યાત્મધ્યાનરૂપ છે અને તે અધ્યાત્મધ્યાન દ્વારા પૂર્વમાં સેવાયેલી સામાચારી મોક્ષનો હેતુ છે.
આશય એ છે કે, જે સાધુઓએ એક માત્ર લક્ષ્ય કર્યું છે કે મારે ક્ષમાદિ ચાર ભાવોની વૃદ્ધિ કરવી છે અને તે લક્ષ્યને સામે રાખીને સતત અંતરંગ રીતે ઉસ્થિત છે, તેવા સાધુ બાહ્ય આચરણારૂપ સામાચારીમાં અત્યંત ઉપયુક્ત થઈને ક્રિયા કરે છે ત્યારે, તે ક્રિયા દ્વારા તેનામાં ક્ષમાદિભાવો વૃદ્ધિ પામે છે અને તેનાથી ક્રમે કરીને શુક્લધ્યાન પ્રગટે છે. તે શુક્લધ્યાન પણ અનેકવાર સેવીને જ્યારે વિશિષ્ટ પ્રકારનું રૂપાતીત શુક્લધ્યાન પ્રગટે છે, ત્યારે ક્ષપકશ્રેણીકાલીન શુક્લધ્યાન આવે છે. તે વખતે જીવમાં અધ્યાત્મધ્યાન પ્રગટે છે અર્થાતુ પોતાના ધ્યેયને આવિર્ભાવ કરવા માટે મહાધ્યાન પ્રગટે છે, અને તેના બળથી સાધુમાં ક્ષાયિક એવા ક્ષમા-માર્દવાદિ ભાવો પ્રગટે છે, જેનાથી તે સાધુ વીતરાગ બનીને મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરે છે.
સાધુઓની દશવિધ સામાચારી અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ છે અને અત્યંત ઉચિત પ્રવૃત્તિ સમતાના પરિણામથી થાય છે. માટે, સમતાના લક્ષણમાં પણ ‘વિયાવિત્તિ હાઇi a’ એમ કહેલ છે. આ અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરવાથી કષાયો તિરોધાન પામે છે અને ક્ષમાદિ ભાવો પ્રગટ થાય છે. માટે દશવિધ સામાચારીનું પાલન સમતાને જિવાડવાના અનુકૂળ યત્નસ્વરૂપ છે અને વિદ્યમાન સમતાને પ્રકર્ષ કરવાને અનુકૂળ યત્નસ્વરૂપ છે. તેથી સામાચારીના પાલન દ્વારા પ્રકર્ષને પામેલી સમતા શુક્લધ્યાનનું કારણ બને છે, માટે સામાચારીનું પાલન પરંપરાએ મોક્ષનું કારણ છે. ટીકા :
ननु सामाचारीनिरतस्याप्यनाभोगतोऽपि कर्मबन्धसंभवात् कथमकर्मताभिमुखं तद्ध्यानम् ? अत आह-मार्ग एव=मोक्षपथ एव रत्नत्रयसाम्राज्यलक्षणे, गमनम्=अभिमुख: परिणाम, एतद्गुणस्य-उक्तसामाचारीपरिणामशालिनः, अनुपयोगेऽपि अनाभोगेऽपि, भवति । यस्य हि यत्र कर्मणि नैरन्तर्येणाभ्यासस्तस्य दृढसंस्कारवशादनुपयोगेऽपि तत्र प्रवृत्तिर्दृष्टचरैवेति न किञ्चिदनुपपन्नम् । तदिदमुक्तं ललितविस्तरायाम्“अनाभोगतोऽपि मार्गगमनमेव सदन्धन्यायेनेत्यध्यात्मचिन्तका” इति, तत्र तथाप्रवृत्तिर्योगजादृष्टमहिम्नैवेति
ટીકાર્ય :
નનું' થી ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે –
સામાચારીમાં નિરતને પણ=સતત ઉદ્યમશીલને પણ, અનાભોગથી પણ કર્મબંધનો સંભવ હોવાથી અકસ્મતાને અભિમુખ તેનું ધ્યાન કેમ છે? આથી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274