Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 220
________________ ૪૮૧ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૨ (૨) નિશ્ચયનયસંબદ્ધ કાર્ય :- વ્યાખ્યાનના અવસરમાં લઘુસંયમપર્યાયવાળા અનુભાષક સાધુને પણ દીર્થસંયમપર્યાયવાળા સાધુ વંદન કરે છે. ત્યાં અનુભાષકમાં રહેલા વ્યાખ્યાનગુણને આશ્રયીને વંદન કરાય છે, તે નિશ્ચયનયને આશ્રયીને કરવામાં આવે છે. તેથી આ સ્થાન નિશ્ચયપ્રતિબદ્ધ છે, વ્યવહાર પ્રતિબદ્ધ નથી. તેથી આ સ્થાનમાં નિશ્ચયનયનું આશ્રયણ ઉચિત છે, પરંતુ વ્યવહારનયનું આશ્રયણ ઉચિત નથી. (૩) ઉભયનયસંબદ્ધ કાર્ય :- પર્યાયથી નાના સાધુ પર્યાયવૃદ્ધ સાધુને, “આ સુસાધુ છે' તેવું જાણીને દ્વાદશાવર્ત આદિથી વંદન કરે છે, ત્યારે, તે સાધુમાં નિશ્ચયના સ્થાનભૂત આલય-વિહારાદિની વિશુદ્ધિ છે કે નહીં, તેનો વિચાર કરે છે, અને વ્યવહારના સ્થાનભૂત પર્યાયવિશેષનો પણ વિચાર કરે છે. તે વખતે નિશ્ચયનયને માન્ય આલય-વિહારાદિની વિશુદ્ધિરૂપ ગુણની ગૌણતા કરવામાં આવે છે અને વ્યવહારનયને માન્ય દીર્થસંયમપર્યાયની પ્રધાનતા કરવામાં આવે છે, અને અનુમાન કરવામાં આવે છે કે, “આ સાધુમાં સંયમનો દીર્ઘ પર્યાય છે અને દીર્ઘ કાળ સુધી આલય-વિહારાદિની શુદ્ધિ પાળેલ છે, તેથી મારા કરતાં તેમનામાં ગુણો અધિક છે, ત્યાં નિશ્ચયનય ગૌણ અને વ્યવહારનય પ્રધાન હોવા છતાં ઉભયનયનું આશ્રયણ છે; કેમ કે આલય-વિહારાદિની વિશુદ્ધિ દ્વારા જે ગુણનું આશ્રમણ કર્યું તે નિશ્ચયનયનું આશ્રયણ કર્યું; અને દીર્ધસંયમપર્યાયનું આશ્રમણ કર્યું તે વ્યવહારનયનું આશ્રયણ છે; અને આવા ઉભયનયના સ્થાનમાં ઉભયનયનું આશ્રયણ યુક્ત છે, પરંતુ કોઈ એક નયનું આશ્રયણ યુક્ત નથી, તેથી કોઈ એક નયમાત્ર પ્રત્યે પક્ષપાત કરીને તે તે નયના ઉચિત સ્થાનમાં તે તે ઉચિત નયનો અપલાપ કરવો ઉચિત નથી. પ્રસ્તુતમાં વ્યાખ્યાનના અવસરમાં નિશ્ચયનયનું સ્થાન છે, તેથી જ્ઞાનજ્યેષ્ઠને દીર્થસંયમપર્યાયવાળા સાધુ પણ વંદન કરે છે, પરંતુ તે સ્થાનમાં દીર્થસંયમપર્યાયવાળા સાધુને વ્યવહારનયનું આશ્રમણ કરીને પણ જ્ઞાનજ્યેષ્ઠ સાધુ વંદન કરતા નથી; કેમ કે જો જ્ઞાનજ્યેષ્ઠ સાધુ દીર્થસંયમપર્યાયવાળાને ત્યારે વંદન કરે તો નિશ્ચયના સ્થાનમાં ઉભયનયનું આશ્રયણ કરવાથી નિશ્ચયનયની વિરાધના થાય. ટીકા : तेन-उक्तहेतुना, कुत्रचित्=निश्चयादिप्रतिबद्धकार्यस्थले, कस्यापि-व्यवहारादेः अग्रहणेऽपि-अनाश्रयणेऽपि, તોષાકર્મવશ્વ, જ્ઞાતિવ્ય:- વોટ્ય: સારા ટીકાર્ચ - તે કારણથી=ઉભયતયના આશ્રયણનો અર્થ જે કર્યો કે “નિજ નિજ સ્થાને ઉચિત નયનું યોજન તે ઉભયતનું આશ્રયણ છે તે કારણથી, કોઈક સ્થાનમાં નિશ્ચયાદિ પ્રતિબદ્ધ કાર્યસ્થળમાં, વ્યવહારાદિ કોઈકના પણ અગ્રહણમાં પણ=અનાશ્રયણમાં પણ, દોષઃકર્મબંધ, ન જાણવો. ૧૯૨ાા * “નિશ્વયાવિપ્રતિવવાર્થથને અહીં ‘મારિ થી વ્યવહાર પ્રતિબદ્ધ કાર્યસ્થલનું ગ્રહણ કરવું. * ‘વ્યવદાર' અહીં પારિ’ થી નિશ્ચયનયનું ગ્રહણ કરવું. * પ્રોડરિ=મનાથયનેકવિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે, વ્યવહારનયાદિના આશ્રયણમાં તો દોષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274