Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૪૮૮
ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૪-૯૫-૯૬ પુરાણક :- વાસ્તવ્ય=જે આગંતુક આવવા ઈચ્છે છે, તેની પહેલાં જે સાધુ અન્ય ગચ્છમાંથી પ્રસ્તુત ગુરુનું આશ્રમણ કરીને અહીં રહેલો છે, તે પુરાણકzવાસ્તવ્ય, કહેવાય. પરંતુ પોતાની પાસે વસનારા એવા અન્ય સાધુઓનું વાસ્તવ્યથી ગ્રહણ કરવાનું નથી.
આ આગંતુક અને પુરાણક બંને જાવજીવ આચાર્ય પાસે રહીને વૈયાવચ્ચ કરવાના મનોરથવાળા છે, ત્યારે આચાર્ય કોને પોતાની વૈયાવચ્ચ કરવા માટે સ્થાપે =કોને પોતાની પાસે રાખે અને કોને ન સ્થાપે? આવા સમયે ભગવાને બતાવેલી ઉચિત ક્રિયા શું છે ? કે જેથી એકાંતે ઉચિત પ્રવૃત્તિ થાય ? તે અહીં બતાવેલ છે.
હવે જો આગંતુક અને પુરાણક બંને યાવત્રુથિક હોવા છતાં એ બેમાંથી કોઈ એક જો લબ્ધિવાળા હોય તો લબ્ધિવાળાને આચાર્ય પોતાની પાસે રાખે અને અલબ્ધિમાનને ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કરવા અર્થે સોંપે.
અહીં વિશેષ એ છે કે, જે વૈયાવૃત્ય કરવા માટે આવેલો છે, તે ઉચિત યતનાપૂર્વક નિર્દોષ ભિક્ષાચર્યાદિ ક્રિયા કરી શકે તેવા બોધવાળો છે, તેનું ગ્રહણ કરવાનું છે, માત્ર કાર્ય કરે અને તે પણ અયતનાપૂર્વક કરે તો તેવાને વૈયાવૃત્ય કરવા આચાર્ય સ્વીકારે નહીં.
લબ્ધિમાન એને કહેવાય કે, આચાર્યને ઉચિત ભિક્ષાચર્યાદિ સર્વ ક્રિયાઓ પોતાના તથાવિધ લાભાંતરાય કર્મના ક્ષયોપશમને કારણે નિર્દોષ મેળવી શકે તેવા છે; અને જે લબ્ધિવાળો નથી, તે જોકે સમ્યક યત્ન કરીને લાવી શકે તેમ છે, પરંતુ જે ક્ષેત્રાદિમાં તેની અપ્રાપ્તિ હોય ત્યારે સ્વયં અલબ્ધિમાન હોવાના કારણે નિર્દોષ ન પણ મેળવી શકે તેવો છે. તેથી આગંતુક અને વાસ્તવમાં જે લબ્ધિવાળા હોય તેને આચાર્ય પોતાની પાસે વૈયાવૃત્ય માટે રાખે, જેથી ગચ્છની વિશેષ સારસંભાળ આચાર્ય કરી શકે.
અહીં પ્રશ્ન થાય કે આચાર્ય લબ્ધિમાનને પોતાની પાસે રાખે અને અલબ્ધિમાનને ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ અર્થે સોંપે એવો પોતાની બાબતમાં પક્ષપાત કેમ કરે?
તાત્પર્ય એ છે કે, જો કે ઉદારતા ગુણવાળી વ્યક્તિ સારી વસ્તુ હંમેશ બીજાને સોંપે, પરંતુ આચાર્ય વિવેકી હોવાના કારણે લબ્ધિમાનને ઉપાધ્યાયને સોંપવા કરતાં જો પોતાની પાસે રાખે તો ગચ્છનો ઉપકાર કરવામાં પોતે સમર્થ બની શકે; કેમ કે જ્યાં હિત વધુ હોય તે પ્રવૃત્તિ ઉચિત છે. વિવેકી આચાર્યને પોતાને અનુકૂળતામાં ઉપયોગી થશે એવો મલિન આશય કદી સંભવે નહીં. પરંતુ જો લબ્ધિમાન ઉપાધ્યાયને સોંપી દે તો પોતાનાથી અર્થની વાચનાદાનાદિ દ્વારા ગચ્છનો તેવો ઉપકાર થઈ શકે નહીં. માટે ગચ્છના ઉપકાર અર્થે લબ્ધિમાન પોતાની પાસે રાખે છે.
આગંતુક અને વાસ્તવ્ય બંને યાવત્રુથિક હોય તો બંનેમાં સમાનપણામાં એ વિધિ બતાવી કે લબ્ધિમાન આચાર્ય પાસે સ્થપાય અને અલબ્ધિમાન ઉપાધ્યાયાદિની વૈયાવૃજ્ય અર્થે સોંપાય. એ વિધિના કથનથી સામર્થ્યથી એ પ્રાપ્ત થયું કે, જો આચાર્યની પાસે કોઈ જ વૈયાવચ્ચ કરનાર ન હોય તો આગંતુક સર્વ પણ સવથા ઈચ્છાથ છે અર્થાત્ આગંતુક લબ્ધિમાન હોય કે અલબ્ધિમાન હોય અને યાવત્કથિક હોય કે ઈવરકથિક હોય, એ સર્વ પ્રકારે ઈચ્છાય જ છે= સ્વીકારાય જ છે. આ વાત ગાથામાં નથી કહી, પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274