Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 243
________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૮ ૫૦૪ निरूपिता । केषामेषा संभवति ? इत्याह-जिनाज्ञायुक्तानां भगवदुक्तविधिपरायणानां, गुरुपरतन्त्राणां - गुरुवशवर्त्तिनां સાધૂનાં, મતિ ।।૧૮ ।। ટીકાર્થ ઃ ‘ત્ત્વ તિ’। એ ગાથાનું પ્રતિક છે. i=આ રીતે=ગાથા-૪ થી ગાથા-૯૭ પર્યંત વર્ણન કર્યું એ રીતે, આ=પૂર્વના વર્ણનથી ગ્રંથકારને સ્વ બુદ્ધિપ્રત્યક્ષ, એવી આ દશ પ્રકારની સામાચારી સમાસથી=શબ્દસંક્ષેપથી, કહેવાઈ= નિરૂપણ કરાઈ. આ દશ પ્રકારની સામાચારી કોને સંભવે છે ? એથી કહે છે જિનાજ્ઞાયુક્ત એવા=ભગવાન વડે કહેવાયેલી વિધિમાં પરાયણ એવા, ગુરુપરતંત્રોને=ગુરુવશવર્તી સાધુઓને, હોય છે. ૯૮ ભાવાર્થ : દશ પ્રકારની સામાચા૨ીની વાત પૂર્ણ થઈ. ત્યાં પ્રશ્ન થાય કે, આ સામાચારી કોને સંભવે છે ? તેના ઉત્તરૂપે ગ્રંથકારે કહ્યું કે, “જિનાજ્ઞાયુક્ત એવા ગુરુપરતંત્ર સાધુઓને આ સામાચારી સંભવે છે.” આમ કહેવાથી એ અર્થ ફલિત થાય કે, જેઓ ભગવદ્ભક્ત વિધિમાં પરાયણ ન હોય, તેથી ગુરુ સાથે વસતા હોય તોપણ અર્થથી ગુરુને પરતંત્ર ન હોય તેવા સાધુઓ “આ સામાચારી મારે સમ્યગ્ પાળવી છે,” એવી ઈચ્છાપૂર્વક તેનું પાલન કરવા યતમાન હોય તોપણ તેઓને સંભવતી નથી. III અવતરણિકા : अथ कीदृशस्येयमैकान्तिकात्यन्तिकफलहेतुः ? इत्याह - - અવતરણિકાર્ય : હવે કેવા પ્રકારના સાધુઓને આ=દશવિધ સામાચારી, એકાંતિક અને આત્યંતિક એવા મોક્ષફળનો હેતુ થાય ? એથી કહે છે - Jain Education International ભાવાર્થ : પૂર્વ ગાથામાં બતાવ્યું કે, ભગવાને કહેલી વિધિમાં પરાયણ, ગુરુપરતંત્ર એવા સાધુઓને આ દવિધ સામાચારી સંભવે છે. આનાથી સમ્યગ્ બાહ્ય યતના કરનાર સાધુઓને આ સામાચારી સંભવે છે, તેમ બતાવ્યું. હવે કેવા પ્રકારની અંતરંગ યતના કરનારને આ સામાચારી એકાંતિક અને આત્યંતિક સુખરૂપ જે મોક્ષફળ છે, તેનું કારણ બને છે ? તે બતાવવા કહે છે એકાંતિક સુખ એટલે દુઃખના સ્પર્શ વિનાનું માત્ર સુખ. મોક્ષનું સુખ જન્મ, જરા, મૃત્યુ આદિ સર્વ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274