________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
10_
પ્રશમરતિ કરી. પ્રિય વિષય પરની ગ્રંથરચના હંમેશાં મર્મસ્પર્શી, આંતરસ્પર્શી, આત્મસ્પર્શી હોય છે. “પ્રશમરતિ ગ્રંથ આવો જ અદ્ભુત ગ્રંથ છે.
સજ્જનો ડujત यद्यपि अवगीतार्था न वा कठोरप्रकृष्टभावार्थाः ।
सद्भिस्तथापि मय्यनुकंपैकरसैरनुग्राह्याः ।।८।। અર્થ : જો કે આ પ્રશમરતિ'માં આદરણીય વિષયો નથી. વિદ્વાન પુપને યોગ્ય ગંભીર અર્થ નથી, પ્રકૃષ્ટ ભાવોને વરેલા અર્થ નથી, તે છતાં અનુકંપા જ એક જેનો સ્વભાવ છે તે સજ્જનોએ, અનુકંપાને યોગ્ય એવા મારા પ્રત્યેની દયાથી, આ ગ્રંથરચના સ્વકારવી જોઈએ.
વિવેચન : જેઓના હૃદયમાં વૈરાગ્ય-મહોદધિ વિલસી રહ્યો છે, જેઓનું મન વૈરાગ્યમાર્ગનું જ રસિયું છે, તેઓ ગ્રંથરચના કરે કે શાસ્ત્ર-સર્જન કરે તેમાં વૈરાગ્યની વાતો સિવાય બીજું શું કહે? સરળ, સુબોધ અને સરસ વૈરાગ્યપોષક વાતો સિવાય કંઈ નહીં! તેમની રચનામાં ન હોય પરમતોનું ખંડન કે સ્વમતનું મંડન, તેમાં ન હોય તમતમતા તર્કોનાં તીર કે ન હોય કોઈના અનુચિત આક્ષેપોના રદિયા! તેમાં ન હોય કાર્ય-કારણભાવની ચર્ચા કે ન હોય હેતુવાદની જટિલ ચર્ચાઓ!
અલ્પમતિવાળા મુમુક્ષુ મનુષ્યોને તુરત જ સમજાઈ જાય એવી સરળ ભાષામાં અને સીધી જ આત્માને સ્પર્શ કરી જાય તેવી વાતો અહીં કરવી છે! જેનો સ્વાધ્યાય કરનારા મનુષ્ય રાગ-દ્વેષની બળતરાઓથી મુક્ત થાય અને શાન્તરસમાં નિમગ્ન બની પરમ આંતરઆલ્લાદ અનુભવ કરે.
પરંતુ એક મોટો પ્રશ્ન ગ્રંથકારની સામે ડાચું ફાડીને ઊભો છે! શું આવી સરળ ગ્રંથરચનાનો વિદ્વાનો. સજ્જનો સ્વીકાર ન કરે ત્યાં સુધી આમજનતા એનો આદર કરીને અપનાવશે? જો ના અપનાવે...તો?
હા, જરૂર અપનાવશે. વિદ્વાનું અને બુદ્ધિમાન સજ્જનપુરુષો જરૂર આ વૈરાગ્યમાર્ગનો પોપક ગ્રંથ અપનાવશે જ! કારણ કે સજ્જનો સદેવ કરણાવંત હોય છે! કરણપાત્ર જીવો પ્રત્યે તેઓ યારસથી પરિપૂર્ણ દૃષ્ટિવાળા હોય છે, સંત પુરુષોનાં હૃદય કરુણાથી સદેવ કોમળ જ રહે છે..ભલે તેઓ પાસે અગાધ જ્ઞાન હોય અને સૂરમ બુદ્ધિ હોય, ભલે તેઓ વિશ્વપ્રસિદ્ધ હોય અને મહાન શાસ્ત્રકાર હોય, કરુણા તો તેમની પાસે રહે જ!
For Private And Personal Use Only