________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્યના પર્યાયો माध्यस्थ्यं वैराग्यं विरागता शान्तिरुपशमः प्रशमः ।
दोषक्षयः कषायविजयश्च वैराग्यपर्यायाः ।।१७।। અર્થ : (૧) માધ્યએ (૨) વૈરાગ્ય (૩) વિરાગતા (૪) શાન્તિ (૫) ઉપશમ (૬) પ્રશમ (૭) દોષય અને (૮) કપાયવિજય-આ વૈરાગ્યના પર્યાય છે.
રિયન : વૈરાગ્યભાવનાને દૃઢ કરવાની પ્રબળ પ્રેરણા આપીને ગ્રંથકાર વૈરાગ્યનાં આઠ રૂપો બતાવી રહ્યા છે. વૈરાગ્યને તેના અષ્ટવિધ રૂપે ઓળખવાનો છે; તો એનું દઢીકરણ કરવામાં સરળતા પ્રાપ્ત થશે.
(૧) માધ્યચ્ચ : ન રાગ ન ટ્રેપ ન રાગ તરફ ઢળવાનું, ન પ તરફ ઢળવાનું. ન રાગનો પક્ષ લેવાનો, ન ષનો પક્ષ લેવાનો. મધ્યસ્થ રહેવા હમેશાં પ્રયત્ન કરવાનો.
(૨) વૈરાગ્ય: રાગ અને દ્વેષનો અભાવ; સર્વથા અભાવ નહીં પરંતુ થોડેક અંશે અભાવે. રાગ-દ્વેષનો સર્વથા અભાવ તો વીતરાગતા છે. વૈરાગ્યમાં રાગ અને દ્વેષની મંદતા આવે. ઇન્દ્રિયોના ઇષ્ટ વિષયમાં રાગ નહીં, અનિષ્ટ વિષયોમાં દ્વેષ નહીં.
(૩) વિરાગતા માત્ર શાબ્દિક ફેરફાર છે. જે અર્થ વૈરાગ્યનો એ જ આનો.
(૪) શાન્તિ: શમ એ જ શાન્તિ, રાગ અને દ્વેષનો ઉદય જ નહીં, આત્મામાં રાગ-દ્વેપ ઊઠે જ નહીં, જ્યારે એનો ઉદય ન હોય, તે વખતની અવસ્થા,
(૫) ઉપશમ : શમની નજીક હોવાથી ઉપશમ. રાગ-દ્વેષનો ક્ષય નહીં, પરંતુ ઉપશમ, રાગ-દ્વેષ બેસી ગયા હોય, પરન્તુ નિમિત્ત મળતાં ઊઠે!
(૬) પ્રશમ : રાગ-દ્વેષનો ઉત્કૃષ્ટ શમ, જ્યારે આ પ્રકૃષ્ટ શમ હોય ત્યારે આત્મભાવ અત્યંત વિશુદ્ધ હોય.
(૭) દોષક્ષય : આત્મભાવને દૂષિત કરે તે દોષ. આત્મભાવને કલુષિત કરનારા પ્રબળ દોષ છે : રાગ અને દ્વેષ. તેનો આત્મત્તિક ઉચ્છેદ તેનું નામ દોષક્ષય. આત્મત્તિક ઉચ્છેદ' એટલે સર્વથા નાશ. વૈરાગ્યની આ ચરમ ભૂમિકા છે.
(૮) કષાયવિજય : કર્યું એટલે સંસાર. તેના ઉપાદાનફારણ છે કપાય. ક્રોધ, માન, માયા અને લોભ-આ કષાય છે. કષાયોનો પરાભવ કરીને આત્મા વિજયી બને તે વૈરાગ્ય,
For Private And Personal Use Only