________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સજ્જનો કરુણાવંત
૧૩
સજ્જનોનો આ સ્વભાવ અપરિવર્તનીય છે. ગમે તેવી આપત્તિના પ્રસંગે પણ સજ્જનો બીજા જીવોનો દોષ જુએ જ નહીં; ભલે બીજાની વાત દોષયુક્ત હોય, ભલે બીજી વ્યક્તિ દોષભરપૂર હોય. સજ્જનોનો એ અવિચલ વિશ્વાસ હોય છે કે ‘જીવમાત્રમાં ગુણ હોય જ, ગુણ વિનાનો ચૈતન્યસ્વરૂપ આત્મા હોઈ જ ન શકે.’
ટોમિધાને નૂત્વમ્! સજ્જનો મૂંગા બની જાય! જ્યારે બીજા જીવાત્માના સજ્જનો જ્યારે બીજા જ્વાત્માના દોષ પ્રકાશિત કરવાનો પ્રસંગ આવી જાય ત્યારે મૂંગા બની જાય અભયારાણીનો દોષ પ્રગટ કરીને પોતાની જાતને નિર્દોષ સિદ્ધ કરવાનો અવસર આવ્યો હતો, છતાં સજ્જનશ્રેષ્ઠ સુદર્શને અભયારાણીનો દોષ પ્રગટ ન જ કર્યો, મૂંગા બની ગયા! હા, શૂળી પ૨ ચઢવાની સજા સાંભળી, છતાં મૌન ! આ છે સજ્જનતા
પરંતુ સજ્જનોને પોતાનો ગ્રંથ સ્વીકારવા ગ્રંથકાર આટલી બધી આજીજી કેમ કરે છે તે જાણો છો? સાંભળો
सद्भि सुपरिगृहीतं यत् किंचिदपि प्रकाशतां याति । मलिनोऽपि यथा हरिणः प्रकाशते पूर्णचन्द्रस्थः ||१०||
ઝર્થ : સુજનો દ્વારા આદરપૂર્વક સ્વીકારાયેલું જું કંઈ-દોષયુક્ત પણ, અસાર પણ લોકમાં પ્રસિદ્ધિ પામે છે, [‘આ વિદ્વાનોને સંમત છે,” આ રીતે વિદ્યુત સમાજમાં પ્રખ્યાત થાય છે,] જેમ મલિન (કાળું) એવું હરણ પણ પૂર્ણ ચન્દ્રમાં રહેલું હોવાથી શોભે છે!
વિવેચન : ‘આમજનતા એ વસ્તુનો સ્વીકાર કરે છે કે જેનો સજ્જન પુરુષો, વિદ્વાન પુરુષો આદરસહિત સ્વીકાર કરે છે.' આ માન્યતાને મનમાં રાખી ગ્રંથકાર મહર્ષિ સજ્જનોને અનુરોધ કરે છે કે ‘આ ગ્રંથ રચનાનો આદરપૂર્વક સ્વીકાર કરો.'
‘આમજનતા આ ‘પ્રશમરતિ' ને ચાહે, એનો પુનઃ પુનઃ સ્વાધ્યાય કરે,' એવી ઉદાત્ત કામનાથી પ્રેરાઈને આચાર્યદેવ વિદ્વાનોને-સજ્જનોને વિનમ્ર ભાષામાં વિનંતી કરે છે... સ્વયં સજ્જનશ્રેષ્ઠ મહાપુરૂષ હોવા છતાં સંસારના સજ્જનોને તેઓ પ્રાર્થના કરે છે! ‘જ્ઞાની પુરુષો સહજ ભાવે જ વિનમ્ર હોય છે.' આ સત્યને ચરિતાર્થ કરનારા આ મહાપુરુષ છે!
‘મેં તો મારા સ્વાધ્યાય માટે... મારી કર્મ{નર્જરા માટે ગ્રંથ રચના કરી છે.... જેને ઉપયોગ કરવો હોય તે કરે... ન કરવો હોય તે ન કરે...' આવી પરહિતનિરપેક્ષ વિચારધારાને આચાર્યદેવ ફેંકી દે છે. તેઓએ તો પ્રારંભમાં જ
For Private And Personal Use Only