Book Title: Pragnavbodhnu Shailee Swarup
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 333
________________ -૦૧૬ પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ગુણ ચિંતન કરે. સંસારને બંધન માનવું. પૂર્વકમ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જ. તેમ છતાં પૂર્વ કર્મ નડે તે શેક કરે નહીં. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણું ચિંતા આત્માની રાખ. કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિને વિચાર કરી શકતું નથી એમ કહેવું એ માત્ર બહાનું છે. જે સમય પણ આત્મા પ્રવૃત્તિ છેડી પ્રમાદ રહિત હંમેશાં નિવૃત્તિને વિચાર કરે છે, તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. કારણ કે દરેક વસ્તુને પોતાના વધતાઓછા બળવાનપણાના પ્રમાણમાં પિતાનું કાર્ય કરવાને સ્વભાવ છે. માદક ચીજ બીજા ખારાક સાથે પોતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિ. ણમવાને ભૂલી જતી નથી તેમ જ્ઞાન પણ પોતાનો સ્વભાવ ભૂલતું નથી. માટે દરેક જીવે પ્રમાદ રહિત, ગ, કાળ, નિવૃત્તિ ને માર્ગને વિચાર નિરંતર કરવો જોઈએ. જે જીવને મોહિનીય કર્મરૂપી કષાયને ત્યાગ કરવો હોય તે તેને એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકાશે તેવો વિશ્વાસ ઉપર રહી તેને કમે ત્યાગ કરવાને અભ્યાસ નથી કરતે, તે એકદમ ત્યાગ કરવાને પ્રસંગ આવ્યે મેહનીય કમના બળ આગળ ટકી શક્તા નથી, કારણ કમરૂપ શત્રુને ધીરે ધીરે નિર્બળ કર્યા વિના કાઢી મૂકવાને તે એકદમ અસમર્થ બને છે. આત્માના નિબળપણને લઈને તેના ઉપર મેહનું બળવાનપણું છે. તેનું જોર ઓછું કરવાને આત્મા પ્રયત્ન કરે છે, એકી વખતે તેના ઉપર જ્ય મેળવવાની ધારણામાં તે ઠગાય છે. જ્યાં સુધી મેદવૃત્તિ લડવા સામી નથી આવી ત્યાં સુધી મેહવશ આત્મા પોતાનું બળવાનપણું ધારે છે, પરંતુ તેવી કસોટીને પ્રસંગ આવ્યે આત્માને પિતાનું કાયરપણું સમજાય છે, માટે જેમ બને તેમ પાંચ ઇદ્રિના વિષય મેળા કરવા તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઇંદ્રિય અમલમાં લાવવી, એમ અનુક્રમે બીજી ઈદ્રિના વિષયે.

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384