Book Title: Pragnavbodhnu Shailee Swarup
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 346
________________ પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ ૩૨૯ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માગ પમાડવાથી તીર્થકર શેત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામહનીય કર્મ બંધાય છે, આ જીવે નવ પૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તે પણ કાંઈ સિદ્ધિ થઈ નહીં, તેનું કારણ વિમુખ દશાએ પરિણમવાનું છે. જે સન્મુખ દશાએ પરિણમ્યા હોય તે તત્ક્ષણ મુક્ત થાય. - જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીને ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે, ત્યાં સુધી આત્મામાં છળકપટ હેવાથી ધર્મ પરિણમત નથી. ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. જ્યાં સુધી મૃષા ત્યાગ અને પરસ્ત્રી ત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હેઈ શકે નહીં. મૃષા જવાથી ઘણું અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિને પ્રસંગ આવે છે. સહજ વાતચીત કરતાં પણ વિચાર કરવો પડે. મૃષા બોલવાથી જ લાભ થાય એ કાંઈ નિયમ નથી. જે તેમ હોય તે સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હેય છે, તે તેઓને ઘણે લાભ થવે જોઈએ તેમ કાંઈ જોવામાં આવતું નથી. તેમ અસત્ય બોલવાથી લાભ થતું હોય તે કમ સાવ રદ થઈ જાય અને શાસ્ત્ર પણ છેટાં પડે. સત્યને જાય છે, પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યને પ્રભાવ થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. સત્યથી મનુષ્યને આત્મા સ્ફટિક જે જણાય છે. શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશકર્તા ન સમજ. આચાર્યો એવા જોઈએ કે શિષ્યને અલ્પ દેષ પણ જાણી શકે અને તેને યથાસમયે બધા પણ આપી શકે. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. જ્યારે આ પ્રકારે છે ત્યારે હવે આપણે આત્મા કઈ દશામાં હાલ છે, અને તે ક્ષાયિક સમકિતી જીવની દશાને વિચાર કરવાને ગ્ય છે કે કેમ? અથવા તેનાથી ઊતરતી અથવા તેથી ઉપરની દશાને વિચાર આ જીવ યથાર્થ કરી શકે

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384