Book Title: Prabhavik Purusho Part 01
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 419
________________ [ ૪૦૨] પ્રભાવિક પુ : થઈ ગયો. મારે એમાં સુકૃતસંખ્યા વધારી ઉમેરે કરવો જરૂરી છે. પ્રભુદેશનાને પણ એ જ વનિ છે. આમ આંતરિક વિચારણામાંથી જાગૃત થઈ અનુચરને આજ્ઞા આપી કે-“મધ્યાહ્ન પછી, ભજનકાર્યથી પરવાર્યા બાદ ડેક આરામ લઈને, તેમને અંતઃપુરના મસલતગૃહમાં તેડી લાવજે.” - જ્યાં ભાણા પર બેસી આ સમાચાર ચેટક ભૂપ, સતી દેવીને જણાવે છે ત્યાં સંગ્રામનો ભય નષ્ટ થવાની જાણે પૂર્વથી જ આગાહી ન થઈ હોય તેમ એમણે કહ્યું કે-“મહારાજ ! હું તે શરૂઆતથી કહેતી આવી છું કે આ બનાવ પાછળ રક્ત સરિતા વહેવડાવવાનું કંઈ જ પ્રયોજન નથી.” ભેજનકાર્યથી પરવારી, જરૂરી આરામ લઈ, જ્યાં મહારાજા મહારાષ્ટ્ર સહિત મસલતગૃહમાં પધારે છે ત્યાં ચેપદાર મગધથી આવેલ અતિથિને માનપૂર્વક હાજર કરે છે. એ દંડવત્ પ્રણામ કરી, હસ્ત જેડી પોતે આણેલ સંદેશ–પત્ર મહારાજા ચેટક સમક્ષ રજૂ કરે છે. ( પત્ર ૧. “જ્ઞાતપુત્ર શ્રી મહાવીર દેવના પરમ ઉપાસક, ગણરાજ્યનભેમણિ વિશાલાપતિ મહારાજા ચેટકરાજની સેવામાં. મગધ દેશના પાટનગર રાજગૃહીના સ્વામી ભંભાસારના પુત્ર અભયના હાર્દિક નમસ્કાર. આપશ્રી સાથે પ્રત્યક્ષ પરિચય નથી. પત્રથી મળવાનો પણ આ પ્રથમ પ્રયાસ છે અને તે સકારણ છે. જેને આપ સહિત જનતાને મોટે ભાગે એક અપહરણ માને છે એ ખરી રીતે અપહરણ નથી, પણ એક પ્રણય-કિસ્સો છે અને ધર્મ—નીતિના કાંટે તળવામાં આવે કે ક્ષાત્રધર્મના નિયમ પ્રમાણે ચકાસી જેવામાં આવે તો એમાં અજુગતું કંઈ જ નથી. એને સવિસ્તર

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466