Book Title: Prabhavik Purusho Part 01
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 439
________________ [૪રર ] પ્રભાવિક પુરુષો : હતી કે જેના પવિત્ર જળથી સંખ્યાબંધ સામંતોની હાજરીમાં મહારાજાને પૂર્વે અભિષેક થયો હતો. શાસ્ત્રકાર કહે છે તેમ ચેડા મહારાજા ગળે લોખંડની પુતળી બાંધી પાણીમાં પડ્યા એટલે ધરણે કે અધરથી ઝીલી લીધાં અને પોતાના ભુવનમાં લઈ ગયા. શેષાયુ મહારાજાએ ત્યાં જ પૂરું કર્યું. અંતિમ સમયે અનશન સ્વીકારી આઠમા સહસાર દેવકે ઈંદ્રના સામાનિક દેવ થયા. કુણિકના લલાટમાં લેખ જ એવા હતા–પિતા અને માતામહના જીવનનો કરુણ અંત એને વગરવિચાર્યા પગલાંથી જ થયો. દુઃખ અને બંધિયાર જીવનથી કંટાળેલા પુરજનો મહારાજના છેલ્લા પગલાથી એટલી હદે વિવશ બની ગયા કે હવે એ ધરતી પર ક્ષણભર થોભવું એ કરતાં મરી જવું વધારે શ્રેષ્ઠ લાગ્યું. દરમિયાન સત્યકી વિદ્યાધરનું આગમન થયું. જે કે માતામહના દર્શનની આશા તો ન ફળી, પણ એમની વહાલી પ્રજાની માગણીથી એ પુરજનોને અન્યત્ર શાંતિવાળા સ્થાને લઈ ગયા. પછી કુણિકે ગધેડાવડે હળ ચલાવી આખી વિશાળા નગરીને ખોદાવી નાખી. એ મહાપુરી માટીમાં મળી ગઈ. વિશાલાના પતન સાથે આ કથાનકનો અંત આવે છે.

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466