Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

View full book text
Previous | Next

Page 112
________________ શ્રદ્ધા ને સમ્યક્તને નજીકનો સંબંધ છે. જે આત્માને સમ્યક્ત સ્પર્શે તે નીચેની વ્યાખ્યાને જીવનમાં ગુંથી-વણી લે છે. રગેરગમાં એ ભાવનાને વસાવી લે છે. (૧) પરમાત્માના વચનમાં અવિચલ શ્રદ્ધા. (૨) જીવાદિ નવતત્ત્વોમાં સુવિશુદ્ધ શ્રદ્ધા. (૩) સુદેવ-સુગુરુ-સુધર્મનો સ્વીકાર અને કુદેવ-કુગુરુ-કુધર્મનો પરિહાર. (૪) આત્માના શુદ્ધ સ્વરૂપ-મોક્ષને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના. સમકિતના શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણમાંથી આસ્તિક્ય ઘણું મહત્ત્વનું છે. એ માટે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે એક સ્થળે કહ્યું છે – “જે જિન ભાળ્યું તે નહિં અન્યથા, એડવો જે દ્રઢ રંગ” (તીર્થકર ભગવાને જે પદાર્થો જે સ્વરૂપે રજૂ કર્યા-કહ્યા છે, તે પદાર્થો તે જ સ્વરૂપે હોય છે. તેમાં લવલેશ શંકા ન હોય.) સમકિતની પ્રાપ્તિ થવાથી પરમાત્માના વચન ઉપર એવી દ્રઢ શ્રદ્ધા થઈ જાય છે કે, તેથી ભગવાને સંસારનું સ્વરૂપ જેવું કહ્યું-બતાડ્યું છે તેવું તે માની લે, ઓળખી લે. યાદ રાખો, સગી આંખે જે દેખાય છે એ કદાચ ખોટું પણ હોઈ શકે છે. (ઈદ સર્પ વા રજૂ?) પણ પરમાત્માના વચન તો સત્ય જ નહિં પરમ સત્ય છે. આવો શ્રદ્ધાળુ આત્માનો રણકાર હોય. અંતે ધર્મની અથવા વ્યવહારથી જે કાંઈ પ્રવૃત્તિ માનવી કરે છે તે સર્વપ્રથમ દ્રવ્યથી કરે પછી સમજણના કારણે મહિમાને જાણ્યા પછી તેનામાં શ્રદ્ધાના બીજ વવાય છે. અને અંતે ભાવથી ક્રિયા કરી કર્મક્ષય કરવાના ફળને પામે છે. એવા મીઠાફળ શ્રદ્ધાના સહારે સૌ કોઈ પામે એમાં નવાઈ નથી. ઉપકારી પુરુષોએ દીર્ધદષ્ટિથી ઉવસગ્ગહર, લઘુ શાંતિ બૃહતુશાંતિ, સંતિકરમ્, ભક્તામર જેવા સૂત્ર-સ્તોત્રમાં ભારોભાર શ્રદ્ધાની સુવાસ ફેલાવી છે. સૂત્ર સ્તોત્ર બોલતાં જાઓ, તેના અર્થનું ચિંતન કરતાં જાઓ ને શ્રદ્ધાના પુષ્પ પ્રભુ ચરણે સમર્પિત કરી ધર્મારાધના અખંડીત અમ્બલીત કરતા જાઓ. તેના કારણે પ્રભુની કૃપા ઈચ્છીતરૂપ આપે જ છે. એવા ફળનો અનુભવ કરી સૌ ધન્ય બને. એજ અભિલાષા.

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174