Book Title: Patanjalyog Sutra Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 226
________________ ૧૯o પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૦ની ઉપા. મ.સા.ની ટિપ્પણી પાતંજલ યોગસૂત્ર ૪-૩૦ ઉપર ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબની ટિપ્પણરૂપ વ્યાખ્યા : [य.] व्याख्या-प्रकृतं प्रस्तुमः - अयुक्तमेतत्-ज्ञानस्य ज्ञेयांश एवावरणस्यावारकत्वात्, स्वरूपावरणेऽचैतन्यप्रसङ्गात्, ज्ञानानन्त्ये ज्ञेयानन्त्यस्यापि ध्रौव्यात्, उक्तं च सूक्तं आत्मपरात्मकर्तृकर्म जाव पदमिति હિમ્ . અર્થ : પ્રતં પ્રસ્તુમ: - પ્રકૃતિને પ્રસ્તુત કરીએ છીએ – કયુમેતત્ ચૈતન્યસિાત્, આ પ્રસ્તુત પાતંજલયોગસૂત્ર ૪-૩૦માં કહ્યું એ અયુક્ત છે; કેમ કે જ્ઞાનના આવરણનું ષેય અંશમાં જ આવારકપણું છે અર્થાત્ જે જ્ઞેયના જ્ઞાનનું આવરણ હોય તે આવરણથી તે શેયનો બોધ થઈ શકતો નથી. જો જ્ઞાનનું આવરણ ક્ષેય પદાર્થને જાણવામાં આવારક છે, તેમ ન માનવામાં આવે અને પાતંજલદર્શનકાર સ્વીકારે છે તેમ જ્ઞાનનું આવરણ જ્ઞાનના સ્વરૂપને આવરણ કરે છે તેમ સ્વીકારવામાં અચૈતન્યનો પ્રસંગ છે. વળી આવરણના અપગમથી જ્ઞાનના આતંત્રને પાતંજલદર્શનકાર સ્વીકારે છે તેમ સ્વીકારીએ તો શેય અલ્પ થઈ શકે નહીં તે બતાવવા અર્થે કહે છે – જ્ઞાનાનત્યે .... ધ્રૌવ્યા, જ્ઞાનના આનત્યમાં અનંતપણામાં, શેયના આનત્યનું અનંતપણાનું, ધ્રુવપણું હોવાથી ત્તેય અલ્પ છે. એ પ્રમાણે પાતંજલદર્શનકારનું કથન અયુક્ત છે. કરૂં ..... સૂર્જ, અને કહેવાયેલું જ્ઞાનનું અનંતપણું હોય તો શેયનું અનંતપણું છે તે પૂજ્ય ઉપાધ્યાય મહારાજ વડે કહેવાયેલું સુઉક્ત છે. કેમ સૂકત=સારી રીતે કહેવાયેલું છે, તે સ્પષ્ટ કરે છે – માત્મપરા- .... િ આત્મા-પરસ્વરૂપ કáકર્મભાવ યાવત્ પદ સુધી છે યાવસ્થાન સુધી છે. અર્થાત્ આત્મા જ્ઞાનનો કર્તા છે અને આત્માના જ્ઞાન કરવાની ક્રિયાનું ષેયના ભાવો કર્મ બને છે અને તે કર્તકર્મભાવ જ્ઞાન-ય વચ્ચે યાવત્ પદ સુધી છે દરેક સ્થાનોમાં છે, તેથી જ્ઞાનના આનત્યમાં જ્ઞાનના અનંતપણામાં, બ્રેયના આમંત્યનું જ્ઞેયના અનંતપણાનું, પણ ધ્રુવપણું છે, એમ અન્વય છે. ભાવાર્થ : જ્ઞાનનું આવરણ દૂર થાય છે, ત્યારે જ્ઞાન અનંત બને છે, તે પાતંજલદર્શનકારનું કથન અયુક્તઃ પાતંજલદર્શનકાર જ્ઞાનનું આવરણ અવિદ્યા આદિ ક્લેશોને માને છે; કેમ કે પાતંજલદર્શનની પ્રક્રિયાનુસાર બુદ્ધિરૂપ ચિત્ત છે, તે ચિત્તમાં જ અવિદ્યા આદિ ક્લેશો વર્તે છે, ત્યારે તેમના મતાનુસાર જ્ઞાન અવિદ્યા આદિ ક્લેશોથી આવૃત્ત બને છે, તેથી જ્ઞાન અનંત નથી પરંતુ પરિમિત છે અને જ્ઞાનનું આવરણ દૂર થાય છે ત્યારે જ્ઞાન અનંત બને છે તેમ કહે છે એ તેઓનું કથન અયુક્ત છે.

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272