Book Title: Patan Tirth Darshan
Author(s): Hemchandracharya Jain Sabha
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 17
________________ પાટણ તીર્થ દર્શન [ ૮ ] મહાનુભાવેને યાદ કરવાં જ રહ્યાં. પણ ભૂતકાળમાં શૌર્ય સાથે અહિંસાના, ઐશ્વર્ય સાથે સંયમના, વૈભવ સાથે વિદ્યા વ્યાસંગને અને વાણિજ્ય સાથે સરસ્વતી સેવાના આદર્શો ચરિતાર્થ કરીને પાટણે પિતાના ગૌરવકાળમાં ગુજરાતનું ગુરુપદ લઈને પિતાનું અસ્તિત્વ સાર્થક કર્યું છે. એક વખતે પાટણ અહિંસા લક્ષમી અને સરસ્વતીને કીડા કરવાનું ત્રિવેણી સંગમ સમું સ્થાન હતું. શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે કે-અણહિલપાટક (પાટણ) સમસ્ત પૃથ્વી ઉપર સ્વસ્તિકની જેમ શોભી રહ્યું છે. કેમકે તે નીતિનું ધામ છે. અને લકમી અને સરસ્વતીથી સદા આલિંબિત છે. # મંદિરનું નગર પાટણ જ શ્રી અણહિલપુર પાટણનાં જીનાલયોથી પાટણ જૈનપુરી ગણાય છે. પાટણનો પ્રાચીન ઈતિહાસ ભવ્ય અને રોમાંચક છે. પાટણ એક તીર્થધામ ગણાય છે. પાટણને મહેલે મહેલે જૈન મંદિરે શેભી રહ્યાં છે. કેટલાંક મંદિરે તે કલાત્મક અને દર્શનીય છે. પાટણનાં મંદિરમાં જેન કલા, જેન શિલ્પ, જેન સ્થાપત્ય અને જૈન સંસ્કૃતિનાં દર્શન થાય છે. ૫૫ જેટલા મહોલ્લા અને પિમાં આવેલા દહેરાસર તથા ભારતીય સોસાયટી તથા આશીષ સેસાયટીના બે નવા દહેરાસર પણ દર્શન કરવા ગ્ય છે. ૮૫ જેટલા મુખ્ય મંદિરમાં ૧૩૪ જુદા જુદા મંદિરે આવેલાં છે. તેમાં ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીર સ્વામી સુધી ૨૪ તીર્થકરે માંને જુદા જુદા તીર્થકરેની અસંખ્ય સંગેમરમરની કલાત્મક મૂતિઓના દર્શન થાય છે, પાટણના બે દહેરાસરમાં સહસ્ત્રકૂટ છે. ૧ મણિઆતી પડાના નગરશેઠના દહેરાસરમાં ૨ બંગડી વાડે ભેજનશાળાની જોડેના દહેરાસરમાં છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96