Book Title: Parmatma Prakash
Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમવૃત્તિનું નિવેદન હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા; તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત-તત્ત્વ અનુભવ્યાં. –અમૂલ્ય તત્ત્વવિચાર-શ્રીમદ્ રાજચંદ્ર સર્વ ફલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એક આત્મજ્ઞાન તે આત્મવિચાર વિના ઉદ્દભવે નહિ. એવી અપૂર્વ આત્મવિચારણા જાગૃત કરવા અને આત્મજ્ઞાનના કારણરૂપ થવા સમર્થ એવા સમ્બોધથી પ્રપૂર્ણ અધ્યાત્મગ્રંથોમાં પરમાત્મપ્રકાશ એ એક અમૂલ્ય ગ્રંથ છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી સમક્ષ એ ગ્રંથનો સ્વાધ્યાય થતો હતો તે વખતથી જેને તેનું અપૂર્વ માલભ્ય લાગેલું એવા પૂજ્યાત્મા શ્રીયુત હીરાલાલ એમ. શાહ (ઝવેરી) એ થોડા વખત પહેલાં પ્રસંગોપાત્ત મને લખ્યું કે તત્ત્વજ્ઞાન તરંગિણીનો ગૂર્જરાનુવાદ તમે કર્યો છે તેવો ઈપ્રોપદેશ અને પરમાત્મપ્રકાશનો અનુવાદ જો કરો અને આશ્રમ તરફથી પ્રકાશિત થાય તો મુમુક્ષુજનોને ઘણો ઉપયોગી થઈ પડે. ગુગમનું માહભ્ય સમજાયું હોય તેને માટે પરમાત્મપ્રકાશ નિશ્ચયનયપ્રધાનગ્રંથ હોવા છતાં પ. પૂ. પ્રભુજીએ આપેલ દષ્ટિએ સ્વાધ્યાય થાય તો આત્મશ્રેયસ્કર આત્મવિચારણા જગાવવા પ્રબળ કારણ બને તેમ છે. આ પરમાર્થ- પ્રેરણાથી પ્રોત્સાહિત થઈ મેં તે બન્ને ગ્રંથોનો અનુવાદ કરવાનો વિચાર કર્યો. ઈટ્રોપદેશનો પદ્યાનુવાદ તરત જ પ્રથમ કરીને ગદ્યાનુવાદ માટે વિચારતો હતો ત્યાં, શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ હિન્દીમાં તેનો સરળ અને સુંદર અનુવાદ બહાર પાડે છે, એમ જાણવામાં આવતાં ગુજરાતી પદ્યાનુવાદ તેમાં જ સામેલ કરવા ત્યાં મોકલી આપ્યો-અને ગુજરાતી ગધ હવે ખાસ જરૂરી નહિ જણાતાં તે વિચાર ઉપશમાવ્યો. ત્યાર પછી પરમાત્મપ્રકાશનો પદ્યાનુવાદ દોહરામાં તૈયાર કર્યો અને ગદ્યાનુવાદ તૈયાર કરવા જતાં પંડિતજી શ્રી ગુણભદ્રજીએ કહ્યું કે મેં તેનો અનુવાદ કરેલો છે તે જ ઉપયોગમાં આવે તો જુઓ. આથી તે અનુવાદ મેં જોયો અને ટ્રસ્ટીબંધુઓની સભાવના અનુસાર તેને સાધંત તપાસી જઈ મુમુક્ષુજનોને ઉપયોગી થાય એ લક્ષે યોગ્ય સુધારો કરી તેને યથાયોગ્ય ઓપ આપવા યથાશક્તિ પ્રેમ-પરિશ્રમ લીધો, જેથી આ અનુવાદ પ્રસિદ્ધિ પામી મુમુક્ષુ મહાશયોના કરકમળમાં આવે છે, જે અત્યંત હર્ષનું કારણ છે. આ પ્રકાશન માટે પૂજ્ય પવિત્રાત્મા શ્રી હીરાલાલભાઈની આધ-પ્રેરણા ન થઈ હોત તો તે ભાગ્યે જ પ્રસિદ્ધિ પામત માટે તેના પ્રકાશનનો સર્વ યશ અને આભાર એ મહાનુભાવને જ ઘટે છે; કે જેમની હિતાવહ પ્રેરણા મુમુક્ષુજનોને અધ્યાત્મરંગ રંગિત બનાવી આત્મજ્ઞાન –આત્મદર્શન-આત્મસમાધિરૂપ આત્મિક Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 240