________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ:
૩૩ અળગું પણ થાય છે. “મન સંક૯પ વિકલ્પવાળું છે, જડના બનેલા સર્વ પદાર્થોને વિષય કહે છે. ત્રેવીસ વિષયે એ કંઈ મન નથી. મન આત્માની સાથે રહે છે. સંપૂર્ણ શરીરમાં આત્મા વ્યાપીને રહે છે તેથી મને સંપૂર્ણ શરીરને વ્યાપીને રહે છે અને વિષયે મનથી જુદા છે. પણ જ્યારે તે વિષયેની સાથે “ વિષય વિષયી ભાવ સંબંધ” થી સંબંધવાળું થાય છે. ત્યારે તે સર્વમાં છે એમ કહેવાય છે, અને જ્યારે બહિર વિષયોની સાથે મન સંબંધમાં આવતું નથી ત્યારે તે સર્વથી અળગું કહેવાય છે. તેમ જ પાંચ ઇન્દ્રિયની સાથે મન સંબંધવાળું થાય છે તેની અપેક્ષાએ પણ સર્વમાંહિ છે એમ કહેવાય છે. અને સંકલ્પ વિકલ્પ સ્વભાવથી ઇન્દ્રિયના ધર્મથી ન્યારૂ પડે છે તેથી પિતાના સ્વભાવે જોતાં ઇન્દ્રિયેથી ભિન્ન છે, તેથી સર્વથી અળગું એમ પણ કહેવાય છે, સર્વમાંહિ અને સર્વથી અળગાપણાને મનને વિચિત્ર સ્વભાવ લાગે છે, આવા મનને હું શિખામણ આપું પણ તે વિચિત્ર સ્વભાવવાળું હોવાથી શું તે શીખામણ માની શકે, તેવા ઉદ્દેશથી પાંચમી ગાથાના ઉદ્ગાર જણાવે છે,
૫–આત્માના શુદ્ધ સ્વભાવમાં લીનતા માટે મનને જે જે શિખામણ આપું છું તે મન સાંભળતું નથી. બહિરાને કહેલી વાત જેમ તે સાંભળતું નથી. તેમ મનને કહેલી વાત મન સાંભ ળતું નથી, શિખામણ આપીશું એટલે મન ઠેકાણે આવશે. એમ ધાર્યું હતું પણ તે શિખામણને સાંભળતું પણ નથી, અને મન પિતે અનેક પ્રકારના વિકાસકપ કરી કર્મ બાંધે છે. અને રાગ છેષ પરિણતિથી મન કાળું વર્તે છે, એવા કાળા મનને મારી હિત શિક્ષાની શી અસર થાય, અલબત કંઈ પણ થાય નહીં. જેને ધર્મ કાળે હેબ તે પેળે થાય નહીં. “આનંદઘન પ્રભુ કાળી કાબળીયાં ચઢત ન દુજે રંગ. ” એ ન્યાયે આ સ્થાને યથાર્થ ઘટે છે, આવા કાળા મનને દેવતાઓ, મનુષ્ય અને જ્ઞાનિ પુરૂ સમજાવવા માટે ઘણો પ્રયત્ન કરે છે. પણ દેવતા વિગેરેનું સમ
For Private And Personal Use Only