Book Title: Paia Vinnana Kaha Part 01
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 198
________________ શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા ૧૫૩ રાજાના ગળા ઉપર એવો પ્રહાર કરે છે, જેમ ધડ અને માથે એકી સાથે જુદુ થયું. થડા કાળ સુધી ધ્રુજતું ધડ પણ ચેતના રહિત થયું, એ પ્રમાણે ચંદ્રસેન રાજા પારકી સ્ત્રીના સંગની ઈચ્છાથી, અપૂર્ણ ઈચ્છાવાળે મરણ પામીને દુર્ગતિમાં ગયે. મરણ પામેલા તે રાજાને જોઈને ભયવાળી તે સત્યવતી “આ મહેલમાંથી કેવી રીતે બહાર નીકળીશ ? અથવા પતિને આપેલા સમયે કેમ મળીશ ?” એમ ઉપાય શોધે છે. મહેલના દરવાજાને સુભટ સમુદાયથી સુરક્ષિત જાણીને તાત્કાલિક ઉત્પન્ન બુદ્ધિવાળી તેણીએ પલંગના ઉપર રહેલા રાજાના શબને દૂર કરીને તેના સુતરની પાટી લઈને મહેલની પાછળના ભાગમાં રહેલી બારીના છેડે બાંધીને મધ્યરાત્રિએ ત પાટી વડે નીચે ઉતરી. રાજમાર્ગે જતી નગરના દરવાજા પાસે ગઈ. તે બારણું બંધ જેઈને નગરના ગંધાતા પાણીને જવાના માર્ગથી કટપૂર્વક તે નગરની બહાર નીકળી. પતિના મલવાની આશાથી હર્ષિત મનવાળી તે જલ્દી જલ્દી દક્ષિણ દિશામાં રહેલ શિવના મંદિરમાં જાય છે. ત્યાં જઈને હે સ્વામિ ! હે દેવ ! તમે કયાં છે ? વિગના દુઃખથી પીડીત એવી મને દર્શન દે. વિલંબ ન કરે. જ્યારે તેણીએ જવાબ ન મેળવ્યો, ત્યારે તેણી શિવાલયની ચારે દિશામાં તપાસ કરે છે, તો પણ તે પ્રિયને જોતી નથી. ત્યારબાદ તે શિવાલયના ગભારાના દ્વારને બંધ જોઈને મોટા સ્વરે હે પ્રિય! હે પ્રિય ! એમ પિકાર કરતી બારણાને પગથી પ્રહાર કરે છે. એમ બે ત્રણ વાર કરે છે. ત્યારે ગભારાનું બારણું ઉઘડે છે. અંદર રહેલાં દીવાના ઝાંખા પ્રકાશથી જમીન ઉપર સુતેલા પિતાના ધણીને જુવે છે. તેની પાસે જઈને સારી રીતે મુખ જોઈને આ મારો પ્રિય છે, એમ તેણે જાણ્યું. હે પ્રિય ! હું આવી આવી, એમ શબ્દ કરવાથી તેને જગાડે છે. તે જાગતું નથી.

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254