________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
નિમિત્ત પોતાનું બળવાનપણું બતાવવા દલીલ કરે છે કેજો અનુકૂળ સારું નિમિત્ત હોય તો કામ થાય, રોટલા વગેરે મળે તો જીવન ૨હે, મનુષ્યદેહ મળે તો મુક્તિ થાય, કાળ સારો હોય તો ધર્મ થાય-આમ આખી દુનિયા કહે છે, પરંતુ મનુષ્ય શરીર વગર મુક્તિ થાય એમ કોણ કહે છે? માટે જુઓ! શ૨ી૨ના નિમિત્તથી જ કામ થાય છે ને? વળી જો નિમિત્તથી તમે કાંઈ ન માનતા હો, તો ભગવાનની પ્રતિમાને કેમ માનો છો? માટે નિમિત્તનું જ જોર છે!
૧૪
નિમિત્તની દલીલ બરાબર નથી. જૈનો ભગવાનની પ્રતિમાના કારણે કે તે તરફના રાગના કારણે ધર્મ માનતા નથી. પ્રતિમાજી તરફનો શુભરાગ તે અશુભ રાગથી બચવા માટે છે. જૈન એટલે સમ્યગ્દષ્ટિ જીવ કદી પણ રાગથી કે પરથી ધર્મ માનતા નથી, જૈન તો આત્માના સ્વભાવથી ધર્મ માને છે.
સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વભાવના ભાન પછી જ્યારે તદ્દન શુદ્ધ સ્વભાવના અનુભવમાં ઠરી ન શકે ત્યારે અશુભરાગ છોડીને શુભરાગ તેમને આવે છે અને તે રાગમાં સામે વીતરાગ પ્રતિમા નિમિત્તરૂપ હોય છે; પોતે અશુભ ભાવથી બચે છે તેટલો પોતાને લાભ છે; પરંતુ પ્રતિમાથી કે જે રાગ રહ્યો તેનાથી આત્માને લાભ માને તો મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિને શુભરાગ આવે ત્યાં વચ્ચે પ્રતિમા નિમિત્તરૂપ આવે, આમ ન જાણે તોય મિથ્યાદષ્ટિ છે. આમા નિમિત્તનું જ્ઞાન કરવાનું આવ્યું પણ નિમિત્તથી કાંઈ કાર્ય થાય-એમ આવ્યું નહિં.
આત્મસ્વરૂપની ઓળખાણ પછી જ્યાં સુધી સ્વરૂપની પૂરી ભક્તિ ન થાય અર્થાત્ વીતરાગતા ન થાય ત્યાં સુધી વચ્ચે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com