________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
મૂળમાં ભૂલ અહીં ઉપાદાન કહે છે કે-કોઈ પણ જાતના પુણ્ય પરિણામ થાય તે આત્માને બાંધે છે, આત્મા અવિકારી ધર્મને રોકે છે આથી અશુભથી બચવા શુભભાવ ન કરવા-એમ ન સમજવું. પરંતુ તે પુણ્ય પરિણામ આત્માના ધર્મને-સુખને મદદગાર નથી–એમ સમજવું. આત્માની ઓળખાણ કરે તો જ ધર્મ થાય, પરંતુ ઘણા પુણ્ય કરે તો તે આત્મના ધર્મને નિમિત્તરૂપે નીવડે-એમ કદી છે જ નહિ. ઉપાદાન સ્વરૂપ આત્માનું જ બળ છે, નિમિત્તનું બળ નથી.
જુઓ તો ખરા! આ બાયડી-છોકારાવાળા ગૃહસ્થ સં. ૧૭૫૦ માં બનાવ્યું છે. ઉપાદાન-નિમિત્તના સ્વરૂપને કેટલું સ્પષ્ટ કર્યું છે! બધાય પડખાથી દલીલો કરી છે. જેમ કોઈને કોઈ સાથે વાંધો પડયો હોય તો તેની વિરુદ્ધ દલીલો કરી દાવો કરે, ત્યાં ન ફાવે એટલે મોટી કોર્ટમાં જાય અને ત્યાં પણ ન ફાવે એટલે કાઉન્સીલમાં અપીલ કરે એ રીતે જેટલા બને તેટલા પ્રયત્નો કરે, તેમ અહીં નિમિત્ત પણ નવી નવી અનેક દલીલો કરે છે. ફેરવી ફેરવીને જેટલી બને તેટલી બધી દલીલ કરે-પરંતુ તેની એક દલીલ ઉપાદાન સામે ટકી શકતી નથી, ઉપાદાનની તો એક જ વાત છે કે-આત્મા પોતાના ઉપાદાનથી સ્વતંત્ર છે, આત્માની સાચી શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા તે જ કલ્યાણનો ઉપાય છે, બીજો કોઈ પણ ઉપાય નથી, છેવટ નિમિત્ત અને ઉપાદાન બન્નેની દલીલોને બરાબર જાણીને, યથાર્થ નિર્ણય દ્વારા સમ્યજ્ઞાનરૂપી ન્યાયાધીશ ચૂકાદો આપશે, તેમાં ઉપાદાનની જીત અને નિમિત્તની હાર થશે.
અત્યાર સુધીમાં ઉપાદાન સામે પોતાનું બળવાનપણું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com