Book Title: Mul ma Bhul
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 218
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૯ સંસારનું કારણ પ્રશ્ન- હું પરને નિમિત્ત થાઉં એવી માન્યતામાં શું દોષ છે? ઉત્તર- હું પરને નિમિત્ત થાઉં એટલે કે મારી અપેક્ષાથી બીજાની અવસ્થા થાય, બીજા દ્રવ્યો સ્વતંત્ર નથી પણ તેઓ પરિણમવા માટે મારી અપેક્ષા રાખે એવા પરાધીન છે” –એવી જેની બુદ્ધિ છે તેણે પરવસ્તુના સ્વતંત્ર સ્વભાવને જાણ્યો નથી. સ્વતંત્ર સ્વભાવનો નિષેધ કર્યો છે અને વસ્તુના સ્વતંત્ર સ્વભાવને જાણવાનો પોતાના જ્ઞાનનો સ્વભાવ છે, તે જ્ઞાનસ્વભાવને તેણે માન્યો નથી, એટલે તેણે જ્ઞાનસ્વભાવે પોતાની હૈયાતીને સ્વીકારી નથી પણ વિકાર સ્વરૂપે જ આત્માની હૈયાતી માની છે. પોતાના આત્માનો જ અભાવ માન્યો છે. આ જ સૌથી મોટો અધર્મ છે, ને એ જ સંસાર છે. આત્માનો સ્વભાવ બધાને જાણવાનો છે, પણ કોઈને નિમિત્ત થવાનો આત્માનો સ્વભાવ નથી, નિમિત્ત-નૈમિત્તિકભાવ વર્તમાન એક જ સમય પૂરતો છે. તેને જે પોતાનું સ્વરૂપ માને છે તે પર્યાયમૂઢ મિથ્યાદષ્ટિ છે. બધાયને જાણનાર સળંગ જ્ઞાનસ્વભાવી હું છું-એમ ન માનતાં, એક પણ ઠેકાણે મારા નિમિત્તની અપેક્ષા છે એમ જેણે માન્યું છે તેણે ત્રણેકાળના બધાય પદાર્થોની સ્વતંત્રતાને ઉડાડી છે, અને બધાને જાણનાર પોતાનો સર્વજ્ઞસ્વભાવ તેને પણ ઉડાડ્યો છે, તેને સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા નથી, સર્વજ્ઞ ભગવાને શું કહ્યું તેની પણ શ્રદ્ધા નથી. “પર વસ્તુઓ પરાધીન છે, પરવસ્તુને મારી અપેક્ષા છે-' એમ અજ્ઞાની માને ભલે, પણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226