Book Title: Mul ma Bhul
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 225
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ અભિપ્રાયથી તું તારા આત્માને જ હણી નાંખે છે. ‘હું ૫૨ને સુખી કરું' એવા તારા ભાવ તારા આત્માને અનંત દુઃખનું કારણ છે, તો તે ભાવને સારા કોણ માને? પહેલાં તું વસ્તુસ્વરૂપ સમજીને તારો અભિપ્રાય તો સાચો કર, સાચો અભિપ્રાય થયા પછી શુભ કે અશુભભાવ આવશે તેનું કર્તાપણું તને નહિ રહે, અને તેમા એકતાબુધ્ધિ નહિ થાય. માટે સૌથી પહેલાં બધાય ૫૨નો આશ્રય છોડીને બધાયથી નિરપેક્ષ તારા સ્વભાવને સમજ. ૨૦૬ , ‘સામો જીવ એની મેળે સમજવાનો છે અને તેમાં હું નિમિત્ત થવાનો છું, તેથી તેને નિમિત્ત થવા માટે મને આ શુભરાગ થાય છે' –આવો જેનો અભિપ્રાય છે તે મિથ્યાદષ્ટિ છે, તેને હજી પરાશ્રયદષ્ટિ છે, શું ૫૨ જીવને નિમિત્ત થવા ખાતર તેં રાગ કર્યો છે? શું સામો જીવ સમજણ માટે તારા શુભરાગની અપેક્ષા રાખે છે? તને જે રાગ થયો છે તે ૫૨ને નિમિત્ત થવા માટે થયો નથી પણ તારા જ દોષથી થયો છે. આ બેમાં મોટું અંતર છે. રાગ વખતે, જેની સ્વાશ્રયષ્ટિ છે તે જીવ પોતાના પર્યાયની લાયકાત જુએ છે, અને જેની પરાશ્રિતદષ્ટિ છે તે જીવ પરની લાયકાત જુએ છે અને પરના કારણે રાગ માને છે. ૫૨ વસ્તુ માત્ર જ્ઞાનનું જ નિમિત્ત છે તેને બદલે અજ્ઞાની તેના કારણે રાગ માને છે. પોતાનો રાગ પરને નિમિત્ત થવા માટે થતો નથી તેમ જ ૫૨વસ્તુને તે રાગની અપેક્ષા નથી. ‘પરવસ્તુને સુખ-દુઃખ થવાનાં જ છે અને તેમાં હું જ નિમિત્ત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 223 224 225 226