Book Title: Mul ma Bhul
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 220
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંસારનું કારણ ૨૦૧ જાએ તે વસ્તુરૂપે જ પોતાને માની લે છે પણ વસ્તુ એમ નથી. ફક્ત અજ્ઞાનથી જ એમ ભાસે છે. જો અજ્ઞાન છોડીને જ્ઞાનભાવથી જુએ તો સ્વતંત્રતા ભાસે. અજ્ઞાનને લીધે જ સ્વતંત્રતા ભાસતી નથી. આ લાકડું ઊંચું થયું. ત્યાં “આ હાથે લાકડાને ઊંચું કર્યું એમ અજ્ઞાનથી જ ભાસે છે, બે દ્રવ્યોની એકતારૂપ માન્યતાથી જ એમ લાગે છે. જ્ઞાનીઓને સમ્યજ્ઞાનથી એમ ભાસે છે કે લાકડું તે વખતના પોતાના પર્યાયના સ્વભાવથી જ ઊંચું થયું છે, હાથને લીધે થયું નથી. તેવી જ રીતે મારા હિંસા કે દયાના ભાવને લીધે પર જીવ મર્યો કે બચ્યો-ઇત્યાદિ પ્રકારની જેટલી માન્યતાઓ છે તે સર્વે અજ્ઞાનને લીધે જ છે. બધાય જીવો પોતપોતાની તે તે વખતની સ્વતંત્ર અવસ્થાથી જ સુખી કે દુઃખી થાય છે. પોતા સિવાય બીજા સર્વે પદાર્થોની જે જે અવસ્થા થાય છે તે બધાય પર દ્રવ્યના ભાવો છે, પોતાના ભાવો નથી. પોતા વડ પર દ્રવ્યના ભાવોને કરી શકવા અશકય છે. માટે, અજ્ઞાનીના અધ્યવસાયનો “પરમાં કાંઈક કરું' એવો જે આશય છે તે મિથ્યા છે, અને તે જ બંધનું કારણ છે-જેમ આકાશને ફૂલ હોતાં જ નથી તેથી, “હું આકાશના ફૂલને ચૂંટું છું' એવો અભિપ્રાય મિથ્યા છેખોટો છે; તેમ પરવસ્તુમાં પરવસ્તુનો વ્યાપાર જ નથી, પરવસ્તુના ભાવો પોતામાં અસત્ છે તેથી, “હું પરવસ્તુમાં કાંઈક કરું' એવો જે અજ્ઞાનીનો અધ્યવસાય છે તે ચોક્કસપણે મિથ્યા છે, ખોટો, જુઠો છે, નિરર્થક છે. જીવની જે ખોટી માન્યતા છે તે માન્યતા પ્રમાણે પરમાં બનતું નથી માટે તે ખોટી માન્યતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226