________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨
મૂળમાં ભૂલ દુ:ખ સહન કરે છે તેનો દોષ તું અમારા ઉપર લગાવે છે. તો જીવ સુખી શાથી થાય છે તે બતાવી દે! ૩૪.
નિમિત્તનું લક્ષ કરીને અશુભભાવ કરવાથી તો જીવ દુઃખી થાય જ, પરંતુ શુભભાવ કરીને પુણ્ય બાંધે તોય જીવ દુઃખી થાય છે, એમ કહ્યું તો પછી જીવ સુખી કઈ રીતે થાય? જો ઉપાદાનનું લક્ષ કરીને તેને ઓળખે તો જ જીવ સુખી થાય. જ્યારે આત્મા સમ્યગ્દર્શન દ્વારા પોતાના સ્વભાવને ઓળખીને પોતામાં ગુણ પ્રગટ કરે ત્યારે અધૂરી અવસ્થામાં શુભરાગ આવે છે અને જ્યાં રાગ હોય ત્યાં પર નિમિત્ત હોય જ છે, કેમકે સ્વભાવના લક્ષે રાગ હોય નહિ. જો આત્મસ્વભાવનું ભાન હોય તો તે શુભરાગને અને શુભરાગના નિમિત્તોને (સત્ દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરેને) વ્યવહારથી ધર્મનું કારણ કહેવાય, પરંતુ શુભરાગ, નિમિત્તો કે વ્યવહાર એ કોઈ આત્માને ખરેખર લાભ કરે કે મુક્તિનું કારણ થાય એ વાત ખોટી છે. રાગ, નિમિત્ત અને વ્યવહાર રહિત આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા તે જ મોક્ષનું સાચું કારણ છે.
જે ભાવે સર્વાર્થસિદ્ધિનો ભવ મળે કે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ, સ્વભાવનું વલણ ચૂકીને થતો હોવાથી દુઃખ જ છે. જે ભાવથી ભવ મળે અને મુક્તિ રોકાય તે ભાવ વિકાર છે- દુઃખ છે. જેટલા દુઃખ આપે તે બધાય ભાવ નિમિત્ત તરફના વલણથી થાય છે, નિમિત્તો તો પરવસ્તુ છે, તે દુઃખ આપતા નથી પરંતુ સ્વનું લક્ષ ચૂકીને પરના લક્ષે જીવ દુઃખી થાય છે, આમ ઉપાદાને પ્રબળપણે સિદ્ધ કર્યું તેથી હવે નિમિત્તે પ્રશ્ન ઉપાડ્યો છે કે મારા તરફના તો બધાય ભાવોથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com