________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજ્ઞાનીને શું ખબરપડે?
૧૭૯ જો એક દ્રવ્યની અવસ્થા બીજાં દ્રવ્ય કરે એમ માનવામાં આવે તો તે વખતે તે દ્રવ્યની વિશેષ અવસ્થા રહેતી નથી અને વિશેષ અવસ્થા વગર દ્રવ્યની સત્તાના જ અભાવનો પ્રસંગ આવે છે-એ મહાન દોષ આવે છે-માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે એમ માનવું તે દ્રવ્યના ત્રિકાળી સ્વરૂપની હિંસા છે, તેના જેવું મોટું પાપ જગતમાં કોઈ નથી. પરદ્રવ્યનું હું કરી દઉં એમ માનવું તે જ મહાન હિંસા છે. તે જ મહાન પાપ છે. હિંસા બહારમાં પર પ્રાણી મરે કે દુઃખી થાય તેમાં નથી, પણ હું તે પ્રાણીને સુખી કે દુઃખી કરી શકું એવી માન્યતા તે જ પોતાના જ્ઞાનસ્વરૂપની હિંસા છે; તેમાં મિથ્યાત્વભાવનું અનંત પાપ છે. અને પરનું કરી શકું એવી ઊંધી માન્યતા છોડીને હું આત્મા જ્ઞાનસ્વરૂપ છું, પરદ્રવ્યનું હું કાંઈ ન કરી શકું, દરેક દ્રવ્યો સ્વતંત્ર છે, સૌ પોતપોતાના કર્તા છે” એમ માનવું તે જ અહિંસા છે-અને એ જ પ્રથમ ધર્મ છે.
પ્રશ્ન- શરીર આત્માનું ચલાવ્યું ચાલે અને માણસો ડુંગરાના ડુંગરા તોડી નાખે છે એ બધું આંખે નજરે દેખાય છે ને? છતાં આત્મા પરનું ન કરી શકે એમ કેમ કહો છો? શું અમે નજરે જોયું તે ખોટું ?
ઉત્તર- આત્મા શું અને શરીર શું? એના જુદાપણાનાં ભાન વગર આત્માએ શું કર્યું તેની અજ્ઞાનીને શું ખબર પડે ? આત્માને તો તે દેખતો નથી, માત્ર બહારમાં જડની સ્થૂળ ક્રિયાને જુએ છે, ત્યાં “આત્મા તે જડની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com