Book Title: Mul ma Bhul
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 208
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાર્યમાં ઉપાદાન-નિમિત્તના કેટલા ટકા? ૧૮૯ ૬–“નિશ્ચયથી ક્રિક્રિયાવાદીઓ (અર્થાત્ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા) આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને પોતે (આત્મા) કરે છે એમ માને છે તેઓ મિથ્યાષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. [ગાથા-૮૬ ટીકા ] ૭-આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદગલની–બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદષ્ટિ છે. જડ-ચેતનની ક્રિયા એક હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે. (ગાથા-૮૬ ભાવાર્થ) ( [ સમયસારજીનો આખો કર્તા કર્મ અધિકાર આ જ વિષય ઉપર છે.] ઉપરના કથનથી એ સિદ્ધાંત સ્પષ્ટપણે નક્કી થાય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે નહિ. ઉપાદાન અને નિમિત્ત એ બન્ને જુદાં દ્રવ્યો છે તેથી તેઓ એક બીજામાં કાંઈ પણ કાર્ય મદદ કે અસર કરી શકે નહિ. નિમિત્ત જો ઉપાદાનનું કાર્ય ૫૦ ટકા કરી દેતું હોય તો ઉપાદાનને નિમિત્તની રાહ જોવી પડે એટલે કે એક દ્રવ્યને પોતાના કાર્ય માટે પરવસ્તુની ૫૦ ટકા જરૂર પડે-એ રીતે વસ્તુની જ પરાધીનતા આવે પરંતુ વસ્તુનું સ્વરૂપ પરાધીન નથી. વસ્તુ સ્વાધીનપણે પોતાના કાર્યને કરે છે. કોઈ “નિમિત્ત ની એવી વ્યાખ્યા કહે કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226