________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૩
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા ને સૂર્ય સાત વાગે ઊગે તો કમળ પણ સાત વાગે ખીલે” – એમ થવાનું શું કારણ?
ઉત્તર:- તે વખતે જ કમળમાં ખીલવાની લાયકાત છે, તેથી ત્યારે જ તે ખીલે છે. પહેલાં તેના પોતામાં જ ખીલવાની લાયકાત ન હતી, પણ તેની લાયકાત બીડાઈ રહેવાની જ હતી. એક સમયે બે વિરુદ્ધ પ્રકારની લાયકાત તો હોઈ શકે નહિ.
૪૨. આ જૈનદર્શનનું મૂળ રહસ્ય છે.
અહો, સ્વતંત્ર નિરપેક્ષ વસુસ્વભાવ છે; એ સ્વભાવને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જીવન પરના અહંકારથી સાચી ઉદાસીનતા આવે નહિ, વિકારનો ધણી તે મટે નહિ અને પોતાની પર્યાયનો ધણી (આધાર) જે આત્મસ્વભાવ તેની દષ્ટિ થાય નહિ. આ સ્વતંત્રતા તે જૈનદર્શનનું મૂળ રહસ્ય છે.
૪૩. એક પરમાણુની સ્વતંત્ર તાકાત.
- દરેક જીવ તેમ જ અજીવ દ્રવ્યોની પર્યાય સ્વતંત્રપણે પોતાથી થાય છે એક પરમાણુ પણ પોતાની જ શક્તિથી પરિણમે છે; તેમાં નિમિત્તનું શું પ્રયોજન છે? એક પરમાણુ પહેલા સમયે કાળો હોય અને બીજા સમયે ધોળો થઈ જાય, તેમ જ પહેલા સમયે એક અંશ કાળો ને બીજા સમયે અનંતગણો કાળો થઈ જાય તેમાં નિમિત્ત કોને કહેશો? તે પોતાની યોગ્યતાથી સ્વયં પરિણમી જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com