________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૩
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા ને સૂર્ય સાત વાગે ઊગે તો કમળ પણ સાત વાગે ખીલે” – એમ થવાનું શું કારણ?
ઉત્તર:- તે વખતે જ કમળમાં ખીલવાની લાયકાત છે, તેથી ત્યારે જ તે ખીલે છે. પહેલાં તેના પોતામાં જ ખીલવાની લાયકાત ન હતી, પણ તેની લાયકાત બીડાઈ રહેવાની જ હતી. એક સમયે બે વિરુદ્ધ પ્રકારની લાયકાત તો હોઈ શકે નહિ.
૪૨. આ જૈનદર્શનનું મૂળ રહસ્ય છે.
અહો, સ્વતંત્ર નિરપેક્ષ વસુસ્વભાવ છે; એ સ્વભાવને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જીવન પરના અહંકારથી સાચી ઉદાસીનતા આવે નહિ, વિકારનો ધણી તે મટે નહિ અને પોતાની પર્યાયનો ધણી (આધાર) જે આત્મસ્વભાવ તેની દષ્ટિ થાય નહિ. આ સ્વતંત્રતા તે જૈનદર્શનનું મૂળ રહસ્ય છે.
૪૩. એક પરમાણુની સ્વતંત્ર તાકાત.
- દરેક જીવ તેમ જ અજીવ દ્રવ્યોની પર્યાય સ્વતંત્રપણે પોતાથી થાય છે એક પરમાણુ પણ પોતાની જ શક્તિથી પરિણમે છે; તેમાં નિમિત્તનું શું પ્રયોજન છે? એક પરમાણુ પહેલા સમયે કાળો હોય અને બીજા સમયે ધોળો થઈ જાય, તેમ જ પહેલા સમયે એક અંશ કાળો ને બીજા સમયે અનંતગણો કાળો થઈ જાય તેમાં નિમિત્ત કોને કહેશો? તે પોતાની યોગ્યતાથી સ્વયં પરિણમી જાય છે.
Please inform us of any errors on
[email protected]