________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
૪૪. ઇંદ્રિયો અને જ્ઞાનનું સ્વતંત્ર પરિણમનઃ નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું સ્વરૂપ
મૂળમાં ભૂલ
જડ ઇન્દ્રિયો છે માટે આત્માને જ્ઞાન થાય
એ વાત
જૂઠી છે. આત્માનો ત્રિકાળી સામાન્ય જ્ઞાનસ્વભાવ પોતાને કા૨ણે સમયે સમયે પરિણમે છે, અને જે પર્યાયમાં જેવી લાયકાત હોય તેટલો જ્ઞાનનો ઉધાડ હોય છે. પાંચ ઈન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉઘાડ છે માટે પાંચ બાહ્ય ઈન્દ્રિયો છે–એમ નથી, અને પાંચ ઈન્દ્રિયો છે માટે જ્ઞાનનો ઉઘાડ છે–એમ પણ નથી. જ્ઞાનની પર્યાયમાં જેટલી લાયકાત હતી એટલો ઉઘાડ થયો છે, અને જે ૫૨માણુઓમાં ઈન્દ્રિયોરૂપે થવાની લાયકાત હતી તેઓ સ્વયં ઈન્દ્રિયરૂપે પરિણમ્યા છે. છતાં બન્નેનો નિમિત્ત-નૈમિત્તિક મેળ છે. જે જીવને એક ઈન્દ્રિયના જ્ઞાનનો ઉઘાડ હોય તેને એક જ ઇન્દ્રિય હોય છે, બે વાળાને બે, ત્રણ વાળાને ત્રણ, ચાર વાળાને ચા૨ અને પાંચ ઈન્દ્રિયના ઉઘાડવાળાને પાંચ ઈન્દ્રિયો જ હોય છે, ત્યાં બન્નેનું સ્વતંત્ર પરિણમન છે, એકના કા૨ણે બીજામાં કાંઈ થયું નથીઆને જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહેવાય છે.
૪૫. રાગદ્વેષનું કા૨ણ કોણ ? -સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ કેમ
થાય છે?
પ્રશ્ન:- જો કર્મ આત્માને વિકાર ન કરાવતાં હોય તો, આત્મામાં વિકાર થાય છે તેનું કારણ કોણ છે? સમ્યગ્દષ્ટિ જીવોને તો વિકાર કરવાની ભાવના હોતી નથી છતાં તેમને પણ વિકાર તો થાય છે, માટે કર્મ વિકાર કરાવે છે ને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com