________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૨
મૂળમાં ભૂલ જતાં તેમાંથી પેટ્રોલ નીકળી જાય અને મોટર ચાલતી અટકી જાય. ત્યાં પેટ્રોલ નીકળી ગયું માટે મોટર અટકી ગઈ –એમ નથી. જે સમયે મોટરમાં ગતિરૂપ અવસ્થાની લાયકાત હોય તે સમયે તે ગતિ કરે છે, તે વખતે પેટ્રોલની અવસ્થા મોટરની ટાંકીનાં ક્ષેત્રમાં રહેવાની હોય છે, પણ પેટ્રોલ છે માટે મોટર ચાલે છે-એ વાત ખોટી છે. મોટરના દરેક પરમાણુ પોતાની સ્વતંત્ર કિયાવર્તીશક્તિની લાયકાતથી ગમન કરે છે, અને પેટ્રોલ નીકળી ગયું માટે મોટરની ગતિ અટકી ગઈ–એમ નથી. જે ક્ષેત્રે જે સમયે અટકવાની લાયકાત હતી તે જ ક્ષેત્ર અને તે જ સમયે મોટર અટકી છે, અને પેટ્રોલના પરમાણુઓ પણ પોતાની લાયકાતથી જ છૂટા પડયા છે. પેટ્રોલ ખૂટયું માટે મોટર અટકી છે એ વાત સાચી નથી. ૧૬. વાણી એની મેળે (પરમાણુઓથી) બોલાય છે, જીવ તેનો કર્તા નથી.
બોલવાનો વિકલ્પ-રાગ થયો માટે વાણી બોલાણી–એમ નથી અને વાણી બોલાવાની હતી માટે વિકલ્પ થયો-એમ પણ નથી. રાગના કારણે જો વાણી બોલાતી હોય તો, રાગ કર્તા અને વાણી તેનું કર્મ-એમ ઠરે અથવા વાણી બોલાવાની હતી માટે રાગ થયો એમ હોય તો, વાણીના પરમાણુ કર્તા અને રાગ તેનું કર્મ ઠરે. પણ રાગ તો જીવની પર્યાય છે અને વાણી તો પરમાણુની પર્યાય છે–તેમને કર્તા કર્મભાવ કયાંથી હોય ? જીવની પર્યાયની લાયકાત હોય તો રાગ થાય છે, ને વાણી તે પરમાણુનું તે વખતનું સહજ પરિણમન છે. પરમાણુઓ સ્વતંત્રપણે વાણીરૂપે પરિણમે ત્યારે જીવને રાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com