________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૧
ઉપાદાન-નિમિત્ત સંવાદ નહિ. સત્ય સમજણમાં સાચા જ દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્તરૂપે હોય છે. જો સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને નિમિત્તરૂપે ન ઓળખે તો અજ્ઞાની છે અને જો તેમનાથી પોતાને લાભ થાય એમ માને તોય મિથ્યાત્વ છે. કોઈ પણ નિમિત્ત મારું કાંઈ કરી દે એવી માન્યતા તે જ મહાન ભૂલ છે અને તેનું ફળ દુઃખ જ છે, માટે નિમિત્તના લક્ષે જીવ દુઃખી જ થાય, સુખી થાય નહિ. એ બરાબર સમજવું કે નિમિત્તના લક્ષે દુઃખ છે, પરંતુ નિમિત્તથી દુઃખ નથી. પૈસા-સ્ત્રી વગેરે તો નિમિત્ત છે. તેનાથી જીવ દુઃખી નથી પણ “આ વસ્તુ મારી છે, તેમાં મારું સુખ છે, હું તેનું કરી શકું છું” આવા પ્રકારે નિમિત્તનું લક્ષ કરીને જીવ દુઃખી થાય છે. નિમિત્તનું લક્ષ કરવું તે પોતાનો દોષ છે. ઉપાદાનના લક્ષે પરમ આનંદ હોય અને નિમિત્તના લક્ષે દુઃખ હોય; કોઈ પણ પરનિમિત્તનું લક્ષ તે દુઃખ જ છે-માટે જ્ઞાન આનંદસ્વરૂપથી પરિપૂર્ણ પોતાના ઉપાદનને ઓળખીને તેના લક્ષે એકાગ્રતા કરવી તે જ પરમસુખ છે અને આ જ મુક્તિનું કારણ છે.
જીવ કુદેવાદિના લક્ષથી અશુભભાવને લીધે દુઃખી થાય જ, પરંતુ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તના લક્ષે શુભભાવથી પણ જીવ દુઃખી થાય છે એમ કહ્યું–તો હે ઉપાદાન! જીવને સુખ કઈ રીતે થાય ? એમ હવે નિમિત્ત પૂછે છે:
કહૈ નિમિત્ત જો દુખ સહૈ, સો તુમ હમહિ લગાય, સુખી કૌન હૈ હોત હૈ, તાકો દેહુ બતાય. ૩૪ અર્થ:- નિમિત્ત કહે છે કે હે ઉપાદાન ! જીવ જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com