________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૫૩
આપણામાંથી બળવાન કોને કહેવો? અર્થાત્ બન્ને સરખા છીએ એમ તો કહો ? ૨૨.
નિમિત્ત:- હૈ ઉપાદાન ! ભગવાન શ્રી જિનદેવે આપણને બન્નેને [ઉપાદાન-નિમિત્તને] જોયાં છે, તો ભગવાનને જે જોયું તે સાચું; આપણે બન્ને અનાદિથી ભેગાં છીએ માટે કોઈ બળવાન નહિ બન્ને સરખાં, આમ તો કહો ?
ઉપાદાનઃ- ના ના નિમિત્તાધીન પરાવલંબી દષ્ટિથી તો જીવ અનાદિથી સંસારમાં રખડયા કરે છે. સંસારના અધર્મો, સ્ત્રીપૈસા વગેરે નિમિત્તો કરાવે અને ધર્મ દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તો કરાવે એવી સર્વત્ર પરાધીન નિમિત્તદષ્ટિ એ જ મિથ્યાત્વ છે અને તેનું જ ફળ સંસાર છે.
નિમિત્ત:- ભગવાને એક કાર્યમાં બે કા૨ણ જોયાં છે, ઉપાદાનકારણ અને નિમિત્તકા૨ણ બન્ને હોય છે, માટે કાર્યમાં ઉપાદાન અને નિમિત્ત બન્નેના પચાસ પચાસ ટકા (Percent) રાખો. સ્ત્રીનું નિમિત્ત હોય તો વિકાર થાય, ગાળ દેનાર હોય તો ક્રોધ થાય માટે પચાસ ટકા નિમિત્ત કરાવે અને પચાસ ટકા ઉપાદાન કરે એમ બન્ને ભેગા થઈને કાર્ય થાય, ચોકખો હિસાબ છે.
,
ઉપાદાનઃ- ખોટું, તદ્દન ખોટું, પચાસ ટકાનો ચોક્ખો હિસાબ નથી પણ ‘બે ને બે ત્રણ' (૨+ ૨ ૩) જેવી ચોકખી ભૂલ છે. જો સ્ત્રી કે ગાળો એ કોઈ પચાસ ટકા વિકાર કરાવતાં હોય તો કેવળી ભગવાનને પણ તેટલો વિકાર જ થવો જોઈએ, પરંતુ કોઈ પણ નિમિત્ત એક ટકો પણ વિકાર કરાવવા સમર્થ નથી. જીવ પોતે સો એ સો ટકા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com