________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
મૂળમાં ભૂલ એવી દલીલ કરી હતી, હવે “નિમિત્તથી પુણ્ય થાય અને જીવ સુખી થાય છે' એમ દલીલ કરે છે -
દયા દાન પૂજા કિયે, જીવ સુખી જગ હોય;
જો નિમિત્ત જૂઠો કહો, યહ કયોં માને લોય. ૧૪
અર્થ:- નિમિત્ત કહે છે કે-દયા, દાન, પૂજા કરે તો જીવ જગતમાં સુખી થાય છે. જો તમે કહો છો તેમ નિમિત્ત જાડું હોય તો લોકો તેને કેમ માને? ૧૪.
પરજીવની દયા, લક્ષ્મી વગેરેનું દાન અને ભગવાનની પૂજાદિથી જીવને પુણ્ય બંધાય છે. એ રીતે દયામાં પરજીવનું નિમિત્ત, દાનમાં લક્ષ્મીનું નિમિત્ત અને પૂજામાં ભગવાનનું નિમિત્ત છે અને એ પરનિમિત્તથી જીવ પુણ્ય બાંધીને જગતમાં સુખી થાય છે, તમે કહો છો કે ઉપાદાન સ્વતંત્ર છે અને પુણ્યથી કે પરવસ્તુથી સુખ નથી, પરંતુ આ તો પ્રત્યક્ષ છે કે દયા વગેરેથી પુણ્ય કરે તો સારી સામગ્રી મળે અને જગતમાં જીવ સુખી થાય; જો નિમિત્તથી સુખ ન મળતું હોય તો આમ કેમ બને? આવી નિમિત્તના પક્ષની દલીલ છે. આમાં ત્રણ પ્રકારે નિમિત્તનો પક્ષ આવ્યો. (૧) પર નિમિત્તથી પુણ્ય થાય. (૨) પુણ્ય કરવાથી બાહ્ય વસ્તુ મળી અને (૩) બાહ્ય વસ્તુ મળવાથી જીવને સુખ મળે છે. આમ આખું જગત પુણ્યના સંયોગોમાં પોતાને સુખી માને છે, માટે નિમિત્તનું જ બળ છે!
* “આખું જગત” કહેતાંજગતના બધા અજ્ઞાની જીવો એમ સાજવું જ્ઞાનીઓ
જગતથી પાર છે. તેઓ પોતાના સ્વભાવમાં છે. “આખું જગત’ કહેતાં અહીં તેમનો સમાવેશ થતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com