________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૫૦
કરે તો ગાળને ક્રોધનું નિમિત્ત કહેવાય. જીવ જો પોતાના ભાવમાં ક્ષમા જાળવી રાખે તો હજારો કે કરોડો ગાળ હોવા છતાં તેને નિમિત્ત પણ કહેવાય નહિ. ઉપાદાનના ભાવ પ્રમાણે સામી ચીજમાં નિમિત્તપણાનો આરોપ આવે છે, પરંતુ સામી ચીજના કા૨ણે ઉપાદાનના ભાવ થાય એમ બનતું જ નથી. ઉપાદાન જ્યારે સ્વાધીનપણે પોતાના કાર્યને કરે ત્યારે બીજી ચીજ નિમિત્ત હાજર હોય જ છે એમ શ્રી સર્વજ્ઞદેવે જોયું છે, તો હું નિમિત્ત ! તેની મારાથી કેમ ના પડાય ? અહીં ઉપાદાન એમ કહેવા માગે છે કે જગતની બીજી વસ્તુઓ હાજર છે તેને મારા જ્ઞાનમાં જાણું ખરો, બીજી વસ્તુને જાણવામાં કાંઈ વાંધો નથી, પરંતુ બીજી ચીજ મારામાં કંઈ કરે એ વાત મારે માન્ય નથી. જગતમાં અનંત પદ્રવ્યો સૌ સ્વતંત્ર ભિન્ન ભિન્ન છે એમ જો ન માને તો જ્ઞન ખોટું છે, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરે એમ માને તોય જ્ઞાન ખોટું જ છે. જીવ તીવ્ર રાગ-દ્વેષ કરે તેના નિમિત્તથી જે કર્મો બંધાય તે કર્મનો જ્યારે ઉદય આવે ત્યારે પાછા તીવ્ર રાગદ્વેષ તે જીવને કરવા જ પડે-એ વાત તદ્દન ખોટી અને જીવની સ્વાધીનતાનું ખૂન કરનારી છે. જીવ રાગ દ્વેષ કરે ત્યારે કર્મનું નિમિત્ત હોય છે ખરું, પરંતુ કર્મ જીવને રાગ દ્વેષ કરાવતાં નથી. જીવ દ્રવ્ય કે પુદ્દગલ દ્રવ્ય બન્ને સ્વંતત્ર દ્રવ્યો છે અને પોતપોતાની અવિકારી કે વિકારી અવસ્થા પોતે જ સ્વતંત્રપણે કરે છે, કોઈ એકબીજાના કર્તા નથી. આવા સ્વતંત્ર વસ્તુ સ્વભાવની ઓળખાણ કરવી તે જ પહેલો ધર્મ છે.
આ ઉપાદાન- નિમિત્તનો સંવાદ ચાલે છે, તેના ૨૧ દોહા વંચાઈ ગયા છે. આત્માના ગુણ-દોષ માટે ૫૨ ચીજની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com