________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭
ઉપાદાન-નિમિત્ત સંવાદ ઉપાદાન સામે આ એકેય દલીલ ટકવાની નથી.
હવે ઉપાદાનનો ઉત્તરઉપાદાન કહે રે નિમિત્ત, હમ પે કહી ન જાય;
ઐસે હી જિન કેવળી, દેખે ત્રિભુવન રાય. ૨૧
અર્થ- ઉપાદાન કહે છે, અરે નિમિત્ત! મારાથી કહ્યું જાય તેમ નથી, જિનકેવળી ત્રિભુવનરાય એમ દેખે છે. ૨૧.
નોંધ:- અહીં ઉપાદાનનો એમ કહેવાનો આશય છે કે જીવ વિકાર કરે ત્યારે બીજી ચીજ ઉપર તેનું લક્ષ હોય છે, તે બીજી ચીજને નિમિત્ત કહેવાય છે, પરંતુ-નિમિત્તની અસર વિના જ ઉપાદાનનું કાર્ય થાય છે એમ શ્રી જિનભગવાન દેખે છે; એટલે કે નિમિત્તની અસર વગર જ ઉપાદાનનો ઉપયોગ પોતાના કારણે ઊલટો થયો છે માટે તું કહે છે તેમ મારાથી કહી શકાય નહિ.
અરે નિમિત્ત! આત્મા પોતાના ઊંધા ભાવે રાગ-દ્વેષ કરે છે ત્યારે બીજી ચીજ હાજર હોય છે તેની કેમ ના કહેવાય? જીવ વિકાર કરે ત્યારે બીજી ચીજ નિમિત્તરૂપે હાજર હોય છે તે બરાબર છે. પરંતુ નિમિત્તને લઈને આત્મા વિકાર કરે છે એ વાત બરાબર નથી. ભલે, વિકાર તે આત્માના સ્વભાવમાંથી આવતો નથી, પરંતુ વિકારની ઉત્પત્તિ તો આત્માની જ અવસ્થામાં થાય છે, કોઈ નિમિત્તની અવસ્થામાંથી થતી નથી. બે બંગડી ભેગી થતાં ખખડે છે તેમાં કોઈ એક બીજાના કારણે ખખડતી નથી પણ દરેક બંગડી પોતાની શક્તિથી જ ખખડે છે. બે લાકડાં ભેગાં થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com