________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ સિદ્ધ કરવા નિમિત્તે અનેક પ્રકારની દલીલો કરી અને ઉપાદાને ન્યાયના બળથી તેની બધી દલીલો તોડી નાખી; હવે નિમિત્ત નવા પ્રકારની દલીલ રજૂ કરે છે.
યહ તો બાત પ્રસિદ્ધ હૈ, શોચ દેખ ઉરમાંહિ; નરદેહી કે નિમિત્ત વિન, જિય કયો મુક્તિ ન જાહિં. ૧૬
અર્થ:- નિમિત્ત કહે છે – એ વાત તો પ્રસિદ્ધ છે કે નર દેહના નિમિત્ત વગર જીવ મુક્તિ પામતો નથી, માટે હે ઉપાદાન ! તું આ બાબત અંતરમાં વિચાર કરી જો. ૧૬.
નિમિત્ત બીજી બધી વાત તો ઠીક પણ મુક્તિમાં નરદેહનું નિમિત્ત છે કે નહિ? મનુષ્ય શરીર વળાવિયો તો છે ને? એ વળાવિયો તો જોઈએ જ.
ઉપાદાન - એકલાને વળાવિયો કોણ? નાગાબાવાને વળાવિયાનું શું કામ છે? નાગાને કોણ લૂંટનાર છે? એ નાગાબાવાને વળાવિયા ન હોય તેમ આત્મા સમસ્ત પરદ્રવ્યના પરિગ્રહથી રહિત એકલો સ્વાધીન છે. મોક્ષમાર્ગમાં તેને કોઈ લૂંટનાર નથી. આત્મા પોતાની શક્તિથી પરિપૂર્ણ છે, તેને કોઈ અન્ય વળાવિયાની જરૂર નથી. મનુષ્ય શરીર જડ છે તે મુક્તિનું વળાવિયું નથી.
મનુષ્યપણામાં જ મુક્તિ થાય છે, અન્ય ત્રણ ગતિ [દેવ, નરક ને તિર્યંચ ] માં મુક્તિ થતી નથી, તેથી મનુષ્યદેહુ જ આત્માની મુક્તિ કરાવી દે છે-એવા પ્રકારે-નિમિત્ત દલીલ કરે છેઆખી દુનિયાના મત લ્યો તો પ્રસિદ્ધપણે એવા વધારે મત મળશે કે-મનુષ્યદેહ વિના મુક્તિ ન થાય માટે મનુષ્યદેહથી જ મુક્તિ થાય છે; આ વાત તો જગપ્રસિદ્ધ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com